સિંહની વિરુધ્ધ મુંબઈ અને ઠાણેમાં 5 મામલા નોંધાયા છે
પરમબીર સિંહે કહ્યું હતુ કે તે ચંદીગઢમાં છે અને જલ્દી તપાસમાં સામેલ થશે
પરમબીર સિંહે કાલે કહ્યું હતુ કે તે ચંદીગઢમાં છે અને જલ્દી તેમની સામે ચાલી રહેલા મામલામાં તપાસમાં સામેલ થશે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ સુરક્ષા આપવાની સંબંધિત માંગ વાળી અરજીમાં સુનવણી દરમિયાન તેમનું એડ્રેસ દર્શાવવા માટે કહેવામાં આવ્યું હતુ.
પરમબીર સિંહની વિરુધ્ધ મુંબઈ અને ઠાણેમાં 5 મામલા નોંધાયા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે પરમબીર સિંહને કથિત જબરન ખંડણીના એક મામલામાં ધરપકડમાંથી સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. કોર્ટે આને મંજૂર કરતા પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાના નિર્દેશ કર્યા હતા.
સિંહ ફરાર થવા માંગતા નહોંતા પણ...
સનુવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતુ કે તે દેશમાં જ છે. તેમના વકીલે કહ્યું હતુ. તે ફરાર થવા માંગતા નહોંતા. તે ભાગવા નહોંતા માંગતા. જો કે મુદ્દો જ એ છે કે તેઓ જેવા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે તેમને જીવનું જોખમ છે.
શું છે મામલો
માર્ચમાં 2021માં સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. વાજેને મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસની પાસે વિસ્ફોટકોથી લાદેલી ગાડીના મામાલામાં ધરપકડ કરાઈ હતી.