પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનું કહ્યું હતું-પરમવીર
અનિલ દેશમુખે વાજે પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા માગ્યા-પરમવીર
વાજેને દર મહિનાની વસૂલી માટેનો ટાર્ગેટ અપાયો હતો-પરમવીર
સચિન વાઝે કેસમાં ખળભળાટ
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું : અનિલ દેશમુખે વાઝેને દર મહિને 100 કરોડ કલેક્ટ કરવા કહ્યું હતુ. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે એન્ટિલિયા કેસમાં ફંસાયેલા સચિન વાઝેનો ઉલ્લેખ કરવામાં છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે જ સચિન વાઝેને 100 કરોડ રૂપિયા કલેક્ટ કરવા માટે કહ્યું હતું.
પૂર્વ મુંબઇ CPએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
નોંધનીય છે કે પરમબીર સિંહને હાલમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને તે પહેલાથી જ રાજકારણ થઈ રહ્યું છે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ આ મુદ્દાને વારંવાર ઉછાળી રહ્યા છે ત્યારે હવે પરમબીર સિંહના આ મોટા આરોપ બાદ રાજ્યમાં રાજકારણ વધે તેવી સંભાવના છે.
પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સચિન વાઝેને મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ વારંવાર પોતાના સરકારી આવાસ પર બોલાવ્યા હતા અને તેમાં સચિવ વાઝેને પૈસા ક્લેક્ટ કરવા માટે આદેશ આપ્યા હતા.