કોવેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે જણાવ્યું કે કોવૈક્સિન લીધા બાદ બાળકોને પેરાસિટામોલ કે પેઈન કીલર આપવાની જરુર નથી.
હાલમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે
કેટલાક બાળકોમાં વેક્સિનની આડ અસરની ખબર
બાળકોને અપાઈ રહી છે કોવૈક્સિન
કોવૈક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકનો ખુલાસો
કોવૈક્સિન લીધા બાદ બાળકોને ન આપો પેરાસિટામોલ કે પેન કીલર
હાલમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો દરરોજ વેક્સિન લઈ રહ્યાં છે તેથી કેટલાક બાળકોમાં વેક્સિનની આડઅસર થાય તે સ્વાભાવિક છે. વેક્સિન લીધા બાદ બાળકોમાં તાવ સહિતની બીજી આડઅસર થઈ રહી છે તેથી વાલીઓ તેમને પેરાસિટામોલ કે બીજી કોઈ દર્દ નિવારક દવા આપવા લલચાતા હશે ત્યારે હવે કોવેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે ખુલાસો કરી દીધો છે.
કોવેક્સિન લીધા બાદ થયેલી આડઅસર 1-2 દિવસમાં મટી જાય છે
વેક્સિનેશન સેન્ટર પર બાળકોને વેક્સિન આપવામાં આવ્યાં બાદ 500 એમજીની પેરાસિટામોલ લેવાની ભલામણ કરવામાં આવે છે જે પછી ભારત બાયોટેકેનું આ નિવેદન આવ્યું છે. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું કે લગભગ 30,000 લોકો પર અમારી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી જેમાં ફક્ત 10-12 ટકા લોકોમાં વેક્સિનની આડઅસર જોવા મ ળી હતી મોટાભાગના લોકોમાં હળવા લક્ષણો જોવા મળ્યાં હતા જે 1-2 દિવસમાં અદ્રશ્ય થઈ ગયા હતા અને તેમને કોઈ બાહ્ય દવાની જરુર પડી નહોતી. ડોક્ટરની ભલામણ અનુસાર દવા લેવાની સલાહ છે.
કોરોનાની બીજી કોઈ વેક્સિન લીધા બાદ પેરાસિટામોલ લેવાની સલાહ
કંપનીએ કહ્યું કે કોરોનાની બીજી કોઈ વેક્સિન લીધા બાદ પેરાસિટામોલ લેવાની સલાહ અપાય છે પરંતુ કોવેક્સિન લીધા બાદ આવી કોઈ દવાની જરુર નથી.
કંપનીને કેમ આપવી પડી આ સલાહ
કોવેક્સિન લીધા બાદ વેક્સિનેશન સેન્ટરવાળા બાળકો માટે પેરાસિટામોલ કે બીજી કોઈ દર્દ નિવારક દવાની સલાહ આપતા હોવાનું ધ્યાનમાં આવતા ભારત બાયોટેકે વાલીઓને આ સલાહ આપી છે.