પાપમોચની અગિયારસનું વ્રત કરવાથી તમામ પાપથી મુક્તિ મળે છે. આ વ્રત કર્યા બાદ હંમેશા કરવું જોઈએ. જો તમે શારીરિક રીતે સશક્ત નથી તો ઉદ્યાપન કરી દેવું જોઈએ.
આજે પાપમોચની અગિયારસ છે.
સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લઈને શ્રદ્ધાપૂર્વક પૂજા કરો.
આ વ્રત કર્યા બાદ હંમેશા કરવું જોઈએ.
આજે પાપમોચની અગિયારસ છે. દર વર્ષે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અગિયારસના રોજ પાપમોચની અગિયારસનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી જીવનમાં જે પણ પાપ કર્યા હોય તે તમામ પાપથી મુક્તિ મળે છે. આ વ્રત કરવા માટે દશમની રાતથી જ વ્રતનું સ્મરણ કરવું જોઈએ. આ વ્રતના દિવસે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ, ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ.
ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય અર્પણ કર્યા બાદ જપ, સ્તોત્ર, પાઠ, હવન, ભજન અને કિર્તન કરો અને બારશના દિવસે ફરીથી પૂજા કરવી જોઈએ. આ વ્રત કર્યા બાદ હંમેશા કરવું જોઈએ. જો તમે શારીરિક રીતે સશક્ત નથી તો ઉદ્યાપન કરી દેવું જોઈએ.
વ્રત કથા
પ્રાચીન કાળમાં દેવરાજ ઈંદ્ર અન્ય દેવતાઓ અને અપ્સરાઓ સાથે ચિત્રરથ વનમાં ફરી રહ્યા હતા. તે સમયે ચ્યવન ઋષિના મેધાવી પુત્ર તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે મેધાવી યુવા ઋષિને જોઈને મંજુઘોષા નામની અપ્સરા તેમના પર મોહિત થઈ ગઈ અને પોતાના હાવ ભાવથી મેધાવી ઋષિને પણ મોહિત કરી લીધા, ત્યારબાદ તેમની સાથે અનેક વર્ષો ગુજાર્યા હતા. એક દિવસ અપ્સરા જ્યારે જઈ રહી હતી તો મેધાવી ઋષિને તેમની તપસ્યા ભંગ થવાનો આભાસ થયો હતો. મેધાવી ઋષિએ ગુસ્સામાં આવીને અપ્સરા મંજુઘોષાને પિશાચની થવાનો શ્રાપ આપી દીધો હતો.
અપ્સરા મંજુઘોષાએ ખૂબ જ વિનંતી કર્યા બાદ તેમણે મંજુઘોષાને ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે વિધિ પૂર્વક વ્રત કરવા માટે કહ્યું. તેમણે જણાવ્યું કે, આ વ્રત કરવાથી પાપથી મુક્તિ મળશે અને પિશાચ યોનિથી મુક્ત થઈ જશે, ઉપરાંત તેનું રૂપ અને સુંદરતા પ્રાપ્ત કરી શકશે. મેધાવી ઋષિએ જ્યારે તેમના પિતા ચ્યવન ઋષિને આ વાત જણાવી તો તેમણે જણાવ્યું કે, બેટા આ તે બિલકુલ પણ યોગ્ય નથી કર્યું. શ્રાપ આપીને તે પણ પાપ કર્યું છે, તુ પણ વિધિ વિધાન સાથે પાપમોચની અગિયારસનું વ્રત કર જેનાથી પાપથી મુક્તિ મળશે.