સરહદી ગણાતા બનાસકાંઠા જિલ્લા માં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.આજે થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હતું.
થરાદના ખેડૂતો પરેશાન
કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા
પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન
નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણી છોડતા પહેલા અધુરી સાફ- સફાઈ અને કેનાલની હલકી ગુણવત્તાના કારણે કેનાલ ઉભરાતા 10 ફૂટનું ગાબડું પડ્યું હતું.જેથી આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થયું.
સુજલામ સુફલામ કેનાલમાં સર્જાયું ભંગાણ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને ખેતી કરવા માટે અને સ્થાનિકોને પીવા માટે પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના થકી કેનાલો બનાવવામાં આવે છે. પરંતુ જ્યારથી આ કેનાલો બની છે ત્યારથી કાગળોની જેમ પાણી છોડતાની સાથે જ કેનાલો તૂટી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં ગાબડું પડવાનો સીલસીલો યથાવત રીતે હજુ પણ ચાલુ છે. બે દિવસ અગાઉ ભોરોલ ડિસ્ટ્રીબ્યુટરમાં નર્મદા વિભાગ દ્વારા વધુ પડતું કેનાલોમાં પાણી છોડતા મોટું ભંગાળ સર્જાયુ હતું.
વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળતા ભારે નુકશાન
જેમાં ખેડૂતોને ઉભા પાક માં પાણી ફરી વળતા મોટો નુકસાન વેચવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર આજે થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં 10 ફૂટ નું ગાબડું પડ્યું હતું.કેનાલમાં અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને વારંવાર કેનાલો તૂટી રહી છે. જેથી વારંવાર તૂટતી કેનાલોના કારણે ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે 10 ફૂટ કેનાલમાં ગાબડું પડતા આજુબાજુ વાવેતર કરેલા રાયડા જીરું અને એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. જેથી ખેડૂતોને પાંચ એકર જેટલા પાકમાં કાપણીના સમયે પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલ નું કામકાજ શરૂ ન કરવામાં આવતા કેનાલ રીપેર કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે. ત્યારે આ બાબતે કેનાલનું પાણી ખેતરમાં ફરી મળતા ખેડૂતોને થયેલા નુકસાન નું વળતર તાત્કાલિક ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે.