નાની બહેન પ્રીતમ મુંડેને મોદી સરકારના મંત્રી મંડળમાં જગ્યા ન મળતા, મરાઠી નેતા અને પોતાની મોટી બહેન પંકજા મુંડેએ પોતાની નારાજગી વ્યકત કરી છે.
પંકજા મુંડેએ પોતાની નારાજગી વ્યકત કરી
ગોપીનાથ મુંડેની દીકરીઓ પંકજા અને પ્રીતમ મુંડે
ભાજપના 75 જેટલા કાર્યકરોએ રાજીનામું આપવાની વાત કરી
પંકજા મુંડેએ પોતાની નારાજગી વ્યકત કરી
નાની બહેન પ્રીતમ મુંડેને મોદી સરકારના મંત્રી મંડળમાં જગ્યા ન મળતા, મરાઠી નેતા અને પોતાની મોટી બહેન પંકજા મુંડેએ પોતાની નારાજગી વ્યકત કરી છે. પંકજા મુંડેએ સ્વીકાર કર્યો છે કે નાની બહેન પ્રીતમ મુંડેને કેબિનેટમાં જગ્યા ના મળતા નારાજ છે. પણ તેમણે કહ્યું કે હાલ સિદ્ધાંતો માટે ધર્મયુદ્ધનો સમય નથી. વધુમાં તેમણે કહ્યું કે આનો નિર્ણય અહિયાં જ લેવામાં આવશે અને યોગ્ય સમયે લેવામાં આવશે. મુંડેએ પણ સ્વીકાર કર્યો કે તે પાર્ટીના નિર્ણયથી નારાજ છે. પણ કેન્દ્રીય નેતૃત્વ પર પણ વિશ્વાસ કરવો જોઈએ. તેમણે પોતાની બહેન મંત્રી ના બનવાનો આખો ભાર રાજ્યની લીડરશીપ પર ઢોળી દીધું.
ગોપીનાથ મુંડેની દીકરીઓ પંકજા અને પ્રીતમ મુંડે
મૂળ વાત એમ છે કે ભાજપ તરફથી રાજયસભા સાંસદ ભાગવત કરાડને કેન્દ્રિય મંત્રીપરિષદમાં લેવામાં આવ્યા, પણ બીજી લોકસભા સીટના સાંસદ પ્રીતમ મુંડે પણ આ માટે યોગ્ય ઉમેદવાર હતા. પણ પ્રીતમ મુંડેને જગ્યા ન મળતા તેમના સમર્થકોમાં ઘણી નારાજગી જોવા મળી. ખાસ કરીને વનજારી સમૂહના લોકો ગુસ્સે થઈ ગયા. રાજ્યના પૂર્વ દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની દીકરીઓ પંકજા અને પ્રીતમ મુંડેને OBC ચહેરાની જેમ જોવામાં આવે છે. પણ હવે તેમના સ્થાન પર કરાડને મંત્રી બનાવી પાર્ટીમાં નવી લીડરશીપ પેદા કરવાના સંકેત આપવામાં આવ્યા છે.
ભાજપના 75 જેટલા કાર્યકરોએ રાજીનામું આપવાની વાત કરી
સાથે જ એક ઘટના એવી પણ સામે આવી છે કે પ્રીતમ મુંડેને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન ના મળતા ભાજપના 75 જેટલા કાર્યકરોએ રાજીનામું આપવાની વાત કરી હતી. સાથે જ પાર્ટીના દફતરની બહાર પ્રદર્શન કરવાની પણ વાત કરી હતી. પણ પાર્ટીના કાર્યકરો સાથે પંકજા મુંડેએ કહ્યું કે તે પાર્ટીના નિર્ણયથી નારાજ છે. તેમણે કરેલી મહેનત પણ કોઈએ ધ્યાનમાં લીધી નહીં.