ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ કદાવર નેતા ગોપીનાથ મુંડેની દિકરી પંકજાની છેલ્લા થોડા દિવસોથી બીજેપી નેતૃત્વથી નારાજગીએ ચર્ચા જગાવી છે. પંકજા મુંડેએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા પર દબાણની રાજનીતિ કરવાનો આરોપ લગાવાઇ રહ્યો છે.
પંકજા મુંડે કહ્યું, હું પાર્ટીની પ્રમાણિક કાર્યકર્તા રહી છું
ફેસબુક પોસ્ટ દ્વારા ખોટી સૂચના ફેલાવાઇ રહી છે
વિનોદ તાવડે અને રામ શિંદેએ પંકજા મુંડે સાથે બેઠક કરી
તેઓએ કહ્યું કે, 2014માં એમ કહેવામાં આવ્યું હતું કે હું મુખ્યમંત્રીનું પદ મેળવવા ઇચ્છતી હતી અને હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે મારી ફેસબુક પોસ્ટ પાર્ટીમાં પદ મેળવવાની રણનીતિ છે. મને લાગે છે કે, પોસ્ટ દ્વારા ખોટી સૂચના ફેલાવાઇ રહી છે જેથી મારુ પદ છીનવી લેવામાં આવે. પંકજા મુંડેને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમનું ટ્વિટર બાયો હજુ પણ પાર્ટી પ્રત્યે તેમની નિષ્ઠાને દર્શાવતુ નથી તો તેઓએ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો.
પંકજા મુંડે કહ્યું કે, હું બીજેપી માટે લાંબા સમયથી કામ કરી રહી છું. શિવસેનાને પૂછો કે તેમના કહેવાનો શું અર્થ છે? ઘણા લોકો શિવસેનામાં સામેલ થવા માંગે છે. હું પાર્ટીની એક પ્રમાણિક કાર્યકર્તા રહી છું. હવે હું 12 ડિસેમ્બરે બોલીશ. હાલ હું આગળ કંઇ જ નહીં કહેવા ઇચ્છતી.
આ પહેલા બીજેપી નેતા વિનોદ તાવડે અને રામ શિંદેએ પંકજા મુંડે સાથે બેઠક કરી હતી. આ બેઠક લગભગ એક કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. હાલમાં જ પંકજા મુંડેએ એક ફેસબુક પોસ્ટ લખી હતી. ત્યારબાદ એવી અટકળો લગાવાઇ રહી હતી કે તેઓ બીજેપી છોડી રહ્યા છે.
શિવસેનાએ કહ્યું હતું - સ્વાગત છે
પંકજા મુંડેના શિવસેનામાં સામેલ થવાના સમાચાર પર શિવસેના ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું હતું કે પંકજા મુંડે નક્કી કરશે કે તેઓ આગળ ક્યાં જશે. જો તેઓ શિવસેનામાં શામેલ થાય છે, તો અમે ખુશીથી તેમનું સ્વાગત કરીશું. ગોપીનાથ અને બાલાસાહેબના સંબંધો ઘણા નજીકના રહ્યા છે.