પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યાં સુધી સીનની માંગ ન હોય, ત્યાં સુધી તેઓ સ્ક્રીન પર અપશબ્દો નહીં બોલે.
પંકજ ત્રિપાઠીએ કહ્યું કે સ્ક્રીન પર નહીં બોલે અપશબ્દો
જ્યાં સુધી સીનની માંગ ન હોય, ત્યાં સુધી અપશબ્દો નહીં બોલું - પંકજ ત્રિપાઠી
મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનાં પાત્રથી જાણીતા થયા પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ કહ્યું કે સ્ક્રીન પર નહીં બોલે અપશબ્દો
પંકજ ત્રિપાઠીએ એલાન કર્યું હતું કે તેઓ હવે પોતાની ફિલ્મોમાં અપશબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરે. ઘણી ફિલ્મો અને વેબ સીરીઝમાં નેગેટીવ રોલ્સ નિભાવી ચુકેલા પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે. જણાવી દઈએ કે વેબ સીરીઝ મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનાં રૂપમાં પોતાની ખાસ ઓળખાણ બનાવનાર પંકજ ત્રિપાઠી પોતાના અભિનય થકી જાણીતા બન્યા છે.
મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનાં પાતથી જાણીતા થયા પંકજ ત્રિપાઠી
વર્ષ 2004માં ફિલ્મ 'રન'થી ડેબ્યૂ કરનાર પંકજ ત્રિપાઠી 'અપહરણ', 'બંટી ઔર બબલી', 'ઓમકારા', 'અગ્નિપથ', 'ગેન્ગ્સ ઓફ વાસેપુર', 'ફૂકરે', 'મસાન', 'સ્ત્રી, 'લૂડો', '83' સહીત ઘણી ચર્ચિત ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચુક્યા છે. જોકે, તેમને ઓળખાણ વર્ષ ૨૦૧૨માં ફિલ્મ 'ગેન્ગસ ઓફ વસેપુર'થી મળી હતી. ત્યાર બાદ ઓટીટી પર પણ પંકજ ત્રિપાઠીએ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. મિર્ઝાપુરમાં તેઓ અખંડાનંદ ત્રિપાઠી એટલે કે કાલીન ભૈયાનાં દમદાર રોલમાં જોવા મળ્યા છે. આજકાલ તેઓ વેબ સીરીઝ 'ક્રિમીનલ જસ્ટીસ'ની ત્રીજી સીઝનનાં માધ્યમથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.
એક વાતચીત દરમિયાન પંકજ ત્રિપાઠીએ એક કલાકાર તરીકે સ્ક્રીન પર પોતાની ભાષા વિશે વાત કરી. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતાની ફિલ્મોમાં દુર્વ્યવહારથી ખુદને દૂર રાખશે? તો તેણે કહ્યું, 'હા, મેં નક્કી કર્યું છે કે હું જે પણ પાત્રમાં હોઈશ, જો સીનની માંગને ધ્યાનમાં રાખીને અપશબ્દોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હશે, તો જ હું તેનો સર્જનાત્મક તરીકે ઉપયોગ કરીશ.'
જ્યાં સુધી સીનની માંગ ન હોય, ત્યાં સુધી અપશબ્દો નહીં બોલું - પંકજ ત્રિપાઠી
વર્ષ 2020માં પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, તેમને સનસની માટે અપશબ્દોનો ઉપયોગ પસંદ નથી. તેમણે કહ્યું હતું કે, 'જો કોઈ અભિનેતા સ્ક્રીન પર દુર્વ્યવહાર કરે છે, તો તે ચોક્કસ સંદર્ભમાં આવું કરે છે.' તેણે સ્પષ્ટતા કરી હતી કે, 'અપશબ્દો એ એવી વસ્તુ નથી કે જેને હું સ્વીકારું છું કે હું સમર્થન કરું છું. હું મારી ફિલ્મોમાં અપમાનજનક ભાષા બોલવાનું ટાળું છું સિવાય કે સીન તેની માંગ કરે. તેણે એમ પણ કહ્યું કે, 'હું એક કલાકાર તરીકે શું પીરસી રહ્યો છું, તેને લઈને હું જાગરુક છું.