બોલીવુડમાં નાના-નાના રોલ કરીને સફળતાને સ્પર્શ કરી લેનાર અભિનેતા પંકજ ત્રિપાઠી હાલનાં આ દિવસોમાં મુંબઇમાં ખરીદેલ એક આલીશાન બંગલાને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેઓએ ગૃહપ્રવેશ કર્યો હતો. એવામાં બંગલો અને તેનાં પૂજનની ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ. હવે આમાંથી જ એક ફોટો સામે આવ્યો છે કે જેમાં આ આલીશાન બંગલામાં એક ખાટલો નજરમાં આવી રહેલ છે.
પંકજે પોતાનાં આ નવા ઘરની પત્ની મૃદુલા અને ઘરવાળા લોકો સાથે મળીને પૂજા કરી. પૂજા દરમ્યાન તેમની પાછળ ઉભો રહેલ એક ખાટલો પણ નજરમાં આવ્યો કે જે તેમનાં જ ગામ બેલસંડ, બિહારનાં દોરડાંથી બનાવેલ છે. એનાંથી એ સ્પષ્ટ થાય છે કે પંકજ પોતાનાં જૂના દિવસો નથી ભૂલેલ.
એક ખાનગી ચેનલ સાથે વાત કરતા પંકજે જણાવ્યું કે, 'મને સારું લાગશે કે નવી કાર ખરીદવાને બદલે હું લોકોને શિખવાડી શકું, નવું ઘર ખરીદવાનું મારું સપનું હતું, મારે વધારે કંઇ જ નથી જોઇતું.' આ સિવાય વધુ એક ઇન્ટરવ્યૂમાં પણ પંકજે જણાવ્યું હતું કે, આજે પણ મને મારા ઘરની છત યાદ છે. ઉલ્લેખનીય છે કે પંકજનું શરૂઆતનું જુવન ખૂબ ગરીબી અને કષ્ટો વચ્ચેથી પસાર થયું હતું.
પંકજ એમ માને છે કે, "ભલે જ આજે મેં પોતાનાં સપનાનું ઘર ખરીદ્યું છે પરંતુ પટનામાં અમારે એક જ રૂમનું ઘર અને તેનાં પર છત હું આજે પણ નથી ભૂલી શકતો, એક રાત્રીએ આંધી આવી હતી અને પાણી વરસવા લાગ્યું કે જેનાંથી તે છત પણ આ સૈલાબમાં ઉડી ગઇ હતી, તેવાં સમયમાં બસ હું આકાશમાં જ જોતો રહ્યો.
પંકજે વધુમાં એમ કહ્યું કે, 'ગયાં વર્ષ સુધી હું કોઇ પણ રોલ કરી લેતો હતો પરંતુ હવે હું એ પોઝીશનમાં છું કે પોતાની મરજીથી હું કોઇ પણ પાત્ર ભજવી શકું છું. આખરે હું મારા સપનાંઓનો મહેલ ઉભો કરવામાં સફળ રહ્યો. મેં મડઆઇલેન્ડમાં ઘર લઇ લીધું છે. મારી પત્ની પણ આને જોયાં બાદ ખૂબ ઇમોશનલ થઇ ગઇ હતી.'