pankaj kumar takes charge of chief secretary rajiv gupta would hold the additional charge of home
મોટા સમાચાર /
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે ચાર્જ સંભાળ્યો, રાજીવ ગુપ્તાને ગૃહવિભાગનો વધારાનો ચાર્જ
Team VTV05:13 PM, 31 Aug 21
| Updated: 05:16 PM, 31 Aug 21
ગુજરાતની અમલદારશાહી હવે બે મોટા અધિકારીઓના હાથમાં, પંકજ કુમાર બન્યા મુખ્ય સચિવ તો ગુપ્તાને સોંપાયું ગૃહખાતું.
રાજીવ ગુપ્તાને ACS હોમનો ચાર્જ સોંપવામાં આવ્યો
પંકજ કુમાર મુખ્ય સચિવ બનતા ચાર્જ સોંપાયો
રાજીવ ગુપ્તાને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો
રાજીવ ગુપ્તા હાલમાં ઉદ્યોગ વિભાગના ACS છે
પંકજ કુમાર બન્યા રાજ્યનાં નવા મુખ્ય સચિવ
ગુજરાતમાં અનિલ મુકીમ નિવૃત્ત થતાં પંકજ કુમારની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આજે જ તેમણે ચાર્જ પણ સંભાળી લીધો છે. નોંધનીય છે કે અધિકારી વર્ગમાં પંકજ કુમાર સરકારનાં ટોપ લીડર્સનાં વિશ્વાસુ ગણાય છે ત્યારે તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. પંકજ કુમાર અત્યાર સુધી ACS હોમનું પદ સંભાળી રહ્યા હતા જે રાજીવ ગુપ્તાને સોંપી દેવામાં આવ્યું છે.
ગુજરાતની બ્યૂરોક્રસીમાં ઓગસ્ટ મહિનાનાં છેલ્લા દિવસે મોટા ફેરફાર થયા છે. પંકજ કુમાર હવે ગુજરાતની બ્યૂરોક્રસીનાં નવા બોસ બની ગયા છે જ્યારે રાજીવ ગુપ્તાને હવે ACS હોમનું પદ આપવામાં આવ્યું છે. રાજીવ ગુપ્તા અત્યારે ઉદ્યોગ વિભાગના ACS છે જ્યારે હવે તેમને ગૃહવિભાગનો પણ વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે.
PM મોદી સાથે IAS રાજીવ ગુપ્તા
બે અધિકારીઓના હાથમાં ગુજરાત, રાજીવ ગુપ્તાને ગૃહખાતાનો વધારાનો ચાર્જ
નોંધનીય છે કે પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા બંને અધિકારીઓ ગુજરાત સરકાર તથા દિલ્હીમાં ટોપ લીડર્સનાં ખૂબ વિશ્વાસુ ગણાય છે. કોરોના વાયરસ કાળમાં પણ બંને અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે આ બે જ અધિકારીઓના હાથમાં ગુજરાતની બ્યૂરોક્રસીનાં બે મોટા પદ આપવામા આવ્યા છે, પંકજ કુમાર મુખ્ય સચિવ જ્યારે મુખ્ય સચિવ બાદ સૌથી મોટું પદ એટલે કે ગૃહખાતાની જવાબદારી ગુપ્તાને આપી દેવામાં આવી છે.
મુખ્ય સચિવની રેસમાં હતા રાજીવ ગુપ્તા
આ સિવાય જ્યારે ગુજરાતનાં નવા મુખ્ય સચિવ માટેના નામો પર મંથન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજીવ ગુપ્તા અને પંકજ કુમાર બંને વચ્ચે જ મુકાબલો હતો. હવે આ બંનેને જ મોટી જવાબદારી અપાઈ ગઈ છે.
કોણ છે રાજીવ કુમાર ગુપ્તા
રાજીવ કુમાર ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ પણ 1986 બેચના છે અને વર્તમાનમાં ઈન્ડસ્ટ્રીઝ & માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ MDનો ચાર્જ પણ છે.
CM રૂપાણી સાથે IAS પંકજ કુમાર
અનિલ મુકીમ 31 ઓગસ્ટે થયા સેવાનિવૃત
ગુજરાત સરકારમાં બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમે 31મી તારીખે વિદાય લીધી છે. રાજ્યના ઈતિહાસમાં મુકીમ પહેલા એવા ચીફ સેક્રેટરી છે કે જેમને એક નહીં બે-બે વાર CSનાં પદે એક્સટેન્શન આપવામાં આવ્યું. મુકીમે વર્ષ 2019માં JN સિંઘ બાદ ચાર્જ સંભાળ્યો હતો અને તે બાદ તેઓ 2020માં જ ઓગસ્ટ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા, જોકે મુકીમ સરકારનાં ટોપ લીડર્સની ખૂબ જ નજીકના અધિકારી હોવાના કારણે તેમને બે વાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.