પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની માંગ તેજ થઇ છે. તેમના કેબિનેટ મંત્રીઓએ માંગ કરી છે ક મુખ્યમંત્રી અમરિન્દર સિંહના નેતૃત્વ પર સવાલ ઉઠાવનાર સિદ્ધુએ રાજીનામું આપી દેવું જોઇએ. આમ ચૂંટણી ના 23 મેના પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસ અને સરકારમાં અંદરુની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગયો છે.
આપને જણાવીએ કે કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર સિદ્ધુએ અમરિન્દર પર અકાલી દળના બાદલ પરિવાર સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યા હતો. સિદ્ધુની પત્નીએ પણ આરોપ લગાવ્યો હતો કે અમરિન્દરને કારણે તેમની ટિકિટ કાપવામાં આવી. જેના પર સિદ્ઘુએ કહ્યું હતું કે તેમની પત્ની ખોટું નથી બોલી રહી.
\
આ તરફ સીએમ પત્ની અને પટિયાલા લોકસભા ઉમેદવાર પરનીત કૌર અને પાર્ટીના રાજ્ય કેમ્પેન કમિટીના પ્રમુખ લાલ સિંહએ પણ સિદ્ધુ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. પંજાબ સરકારમાં મંત્રી ત્રિપત રાજેન્દ્ર સિંહ બાજવા, ભારત ભૂષણ આશુ, શ્યામ સુંદર અરોડા અને રાણા ગુરમીત સિંહ સોઢી એ સિદ્ધુને નિશાન પર લીધા છે.
બાજવાએ કહ્યું કે, 'જો સિદ્ધુને કેપ્ટન અમરિન્દરની લીડરશિપ પર વિશ્વાસ નથી તો તેમણે પદ છોડી દેવું જોઇેએ. જો તેમણે નૈતિકપણે મજબૂત છે તો પોતાની ખુરશીથી લગાવ કેમ છે અને એવા વ્યક્તિ સાથે કામ કરી રહ્યા છે જેના પર વિશ્વાસ નથી.'
બાજવાએ સિદ્ધુને પેરાશૂટ લીડર બતાવ્યા અને કહ્યું કે તેમને સંગઠનના નિર્માણનો કોઇ અનુભવ નથી. આપને જણાવીએ કે સિદ્ધુના આરોપો પર અમરિન્દરે પણ પ્રતિક્રિયા આપી હતી કે કદાચ સિદ્ધુની નજર સીએમની ખુરશી પર છે.