છેલ્લા 4 મહિનાથી ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની રવિવારે પાનીપત ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
દેશમાં નથી કોરોના, ભાજપના હિસાબથી આવે છે કોવિડ: ખેડૂત નેતા
કોરોના કોઈ બીમારી નથી, કોરોના એક બહુ મોટું કૌભાંડ: ખેડૂત નેતા
ખેડૂત નેતા ગુરનામ સિંહે અહીં મલોટમાં ભાજપ ધારાસભ્યના કપડા ફાડવા અને વિરોધને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, વારંવાર અપીલ કરવા છતા ભાજપ અને જેજેપીના નેતા અને ધારાસભ્ય, મંત્રી કાર્યક્રમ કરવાથી અટકતા નથી તો એજ નેતાઓ પ્રત્યે સામાન્ય જનતા અને ખેડૂતોમાં ભારે રોષ છે. જેને લઇને તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે. જોકે, ગુરનામસિંહે ભાજપ નેતાઓના કપડા ફાડવા અને મારપીટ કરવાને ખોટી ગણાવી.
કોરોના ભાજપના હિસાબથી આવે છેઃ ખેડૂત નેતા
કોરોનાને લઇને ક્યાંક સરકાર ખેડૂત આંદોલનને ખતમ ન કરાવી દે તેને લઇને તેમણે કહ્યું કે, જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે પણ કોરોના હતો, તો શું ખેડૂતો અટકી ગયા હતા. આ લોકો ખોટું બોલી રહ્યા છે, કોરોના કોઈ બીમારી નથી, કોરોના એક બહુ મોટું કૌભાંડ છે. તેમણે કહ્યું કે, કોરોના ભાજપના હિસાબથી આવે છે.
ખેડૂત નેતાએ ચૂંટણીઓમાં ભાજપના તમામ જગ્યા પર સૂપડા સાફ થવાની વાત કહી
ગુરનામસિંહે ભાજપ સહિત જેજેપી અને કેન્દ્રમાં બેઠેલા ભાજપના નેતાઓને પાર્ટી છોડીને પોતાની સાથે આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બે-ચાર વર્ષ જો સત્તાનું સુખ ભોગવી લેશો તો શું થઇ જશે જનતાની નજરોમાં તો નીચે પડી રહ્યા છે. ગુરનામસિંહે દેશમાં થઇ રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના તમામ જગ્યા પર સૂપડા સાફ થવાની વાત કહી.
પાનીપતમાં ભાજપ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ભાજપને છોડવા પર પ્રતિક્રિયા આપતા ગુરનામ સિંહે કહ્યું કે, અમે આનો આભાર માનીએ છીએ અને ખેડૂત યૂનિયનમાં સ્વાગત કરીએ છીએ. ગુરનામ સિંહે અન્ય નેતાઓને પણ સાથ આપવા માટે આમંત્રણ આપતા કહ્યું કે, અમારા માટે પહેલા પાર્ટી નહીં દેશ પહેલા હોવો જોઇએ. દેશના પ્રધાનમંત્રીએ દેશને કંપનીઓના હાથે વેચવામાં કામ કરી રહ્યા છે જ્યારબાદ દરેક વસ્તુ પ્રાઇવેટ થઇ જશે.