દિલ્હીના અનેક વિસ્તારમાં ફરી તણાવ ફેલાયો હોવાની અફવા ઉડાવવામાં આવી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તા કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં સ્થિતિ સામાન્ય છે, તેમજ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર જઈ રૂબરૂ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી છે.
દિલ્હીમાં અફવાઓના કારણે ફરી તણાવ
દિલ્હી પોલીસે અફવાઓને આપ્યો રદિયો
સમગ્ર દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છેઃ પોલીસ
ઉલ્લેખનીય છે કે, કેટલાંક પેનિક કોલ આવ્યાં છે, પરંતુ તેના પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. સાથે જ પોલીસે કહ્યું કે, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ પૂર્વી દિલ્હી, મદનપુર ખાદર, રાજૌરી ગાર્ડન, હરિનગર અને ખ્યાલાથી કેટલાક કોલ આવ્યાં છે, પરંતુ આ સ્થળોએ સ્થિતિ સામાન્ય જ છે. પોલીસે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. સાથે જ અફવાઓ ફેલાવનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી છે.
અત્યાર સુધીમાં 41 લોકોના થયા છે મોત
RUMOR IS THE BIGGEST ENEMY.
A rumor has been noticed that there is some tension in Khyala-Raghubir Nagar area of West District. There is no truth behind it. All are requested to keep calm as the situation is absolutely normal & peaceful. @LtGovDelhi@CPDelhi@ANI@DelhiPolice
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની હિંસામાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત નીપજ્યાં છે. આ હિંસાને હવે કાબૂમાં લેવામાં આવી છે. જોકે રવિવારે સાંજે દિલ્હીમાં તણાવના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે આ અહેવાલોને અફવા ગણાવી શાંતિ જાળવવા અપીલ કરી હતી.
અત્યાર સુધીમાં 250 FIR નોંધાઇ
દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 250 થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. 40 થી વધુ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયા છે. અત્યાર સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા અને ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા પણ 900 ને વટાવી ગઈ છે.
પોલીસે ટ્વીટ કરીને અફવાને નકારી
સ્થિતિ એવી બની હતી કે દિલ્હી મેટ્રો (ડીએમઆરસી) એ તિલકનગર સહિત સાત મેટ્રો સ્ટેશન બંધ કરવા પડ્યા હતા. જો કે, એક કલાક કરતા પણ ઓછા સમયમાં તમામ મેટ્રો સ્ટેશનો ફરીથી ખોલવામાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી પોલીસે પણ તરત જ ટ્વિટ કરીને લોકોને અફવાને અવગણવાની અપીલ કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. ક્યાંયથી હિંસાના સમાચાર નથી. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.