હવે પનીર ખાઈને પણ ઘટાડી શકાશે વજન. જાણો કેવી રીતે પનીરનું સેવન કરવું જોઈએ.
પનીર છે વજન ઘટાડવામાં મદદરૂપ
પ્રોટીનનો સ્ત્રોત
ઓલીવ ઓઈલમાં પનીર રાંધવું ફાયદાકારક
પનીર છે વજન ઘટાડવામાં મદદરૂપ
પનીર ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતું ડેરી ઉત્પાદ છે. ફિટનેસ ફ્રિક અને વેજીટેરીયન લોકો શરીરમાં પ્રોટીનની અછત પૂરી કરવા માટે પનીરનું સેવન કરે છે. આ એક મેક્રોન્યૂટ્રીએન્ટ છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીનમાં કેલરીની માત્રાને કારણે તમારું શરીર ઘણા સમય સુધી ભરેલું હોય તેમ લાગે છે અને ફેટ પણ ઝડપથી બર્ન થાય છે.
પનીરમાંથી મળનાર કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ ન માત્ર શરીરને પોષણ આપે છે, પણ તેમાંથી મળતા હેલ્ધી ફેટ્સ શરીરમાં બેડ કેલેસ્ટ્રોલની માત્ર પણ ઘટાડે છે. આ હાર્ટ માટે ફાયદાકારક છે. 40 ગ્રામ પનીરના સર્વિંગમાં 190.4 મિગ્રા કેલ્શિયમ, 7.4 મિગ્રા પ્રોટીન, 5.88 મિગ્રા ફેટ, કાર્બ 4.96 મિગ્રા અને એનર્જી 103.15 કિલો કેલરી હોય છે.
પનીર હાઈ કેલરી, ફેટ, પ્રોટીન અને લો કાર્બવાળો ખોરાક છે, જેનું સેવન જો સાચા પ્રકારે કરવામાં આવે, તો વજન ઘટાડવામાં મદદ કરે છે. ભારતમાં મોટેભાગે પનીરને દીપ ફ્રાય કે ટામેટા-ડુંગળીની ગ્રેવીમાં માખણ, ક્રીમ અને તેલ સાથે બનાવવામાં આવે છે. આવું કરવાથી ભોજનની કેલરી વધી જાય છે, જેથી વ્યક્તિનું વજન પણ વધી જાય છે. એટલા માટે વજન ઘટાડવા માટે પનીરનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવુ જોઈએ.
વજન ઘટાડવા માટે આ 5 પ્રકારે લો પનીર
કાચું પનીર
કાચું પનીર પકાવેલા પનીરની જેમ જ સ્વાદિષ્ટ લાગે છે. તે નરમ હોય છે, જેનાં પર નમક છાંટીને તેનો આનંદ લઇ શકાય છે. જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો, તો સલાડમાં કાચા પનીરના નાના નાના ટુકડા નાંખીને ખાવાની આદત પાડો.
પનીર ભુર્જી ખાઓ
જો તમે એ લોકોમાંથી છો, જે પનીરને રોટલી કે ભાત સાથે ખાવાનું પસંદ કરે છે, તો તેમાં થોડા કાંદા, ટામેટા, મરચા અને લસણ નાંખીને તળેલા પનીર નાંખો. પનીર ભુર્જી વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. તમે તેની સાથે દાળ કે પછી સાઈડ ડીશ તરીકે રાયતું પણ લઇ શકો છો. આ સેન્ડવિચ અને બર્ગરમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે.
ઓલીવ ઓઈલમાં ગ્રીલ કરો
તમે ખૂબ વધારે તેલમાં પનીરનાં કુરકુરા પકોડા બનાવીને લેતા હશો. તેને કુરકુરા બનાવવા માટે અને ડીપ ફ્રાય કરવા માટે વધારે ગ્રીસનો ઉપયોગ ન કરો. વજન ઘરાડવા માટે આ પનીર ખાવાની પરફેક્ટ રીત છે.
પનીર ટીક્કા બનાવો
પનીર ટીક્કા એક પોપ્યુલર સ્ટાર્ટર છે, જેને લગભગ બધા જ પસંદ કરે છે. તેમાં પનીરને દહીં અને મસાલાઓમાં મેરીનેટ કરવામાં આવે છે અને તંદૂરની અંદર તેલ વગર થોડા કેપ્સીકમ અને કાંદા સાથે બનાવવામાં આવે છે. લોકો તેને ફુદીનાની ચટણી સાથે ખાવાનું પસંદ કરે છે. વજન ઘટાડવા માટે પનીરનું સેવન આવી રીતે કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. આવું એટલા માટે કેમકે આમાં કોઈપણ પ્રકારનું ઘી કે તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે વજન ઘટાડવા માટે પ્લસ પોઈન્ટ છે.
પાલક પનીર
પાલક પનીર એવી રેસિપી છે, જેને સામાન્ય રીતે બપોરના ભોજનમાં રોટલી સાથે લેવામાં આવે છે. પાલકમાં રહેલા આયરન આને મેગ્નેશિયમ, જ્યારે પનીરનાં પ્રોટીન અને કેલ્શિયમ સાથે મળે છે, તો વજન ઘટાડવા માટે હેલ્ધી ડીશ બની જાય છે.
જો તમે વજન ઘટાડવા માટે પનીરનું સેવન કરો છો, તો કોશિશ કરો કે પનીરને ઓલીવ ઓઈલમાં જ રાંધો અને સ્વાસ્થ્યનાં લાભ માટે ઘરમાં બનેલા પનીરનો જ ઉપયોગ કરો.