પનીરનાં સેવનથી સ્વાસ્થ્યને અઢળક લાભ મળે છે. જાણો પનીરનું સેવન ક્યા પ્રકારે કરવું જોઈએ, જેથી સ્વાસ્થ્યને વધારેમાં વધારે લાભ મળી શકે.
પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સ્નાયુઓને મજબૂત કરે છે પનીર
વિટામિન્સનો પણ ભરપૂર સ્ત્રોત
આ ભાગદોડભર્યા જીવનમાં સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે જેટલી કસરત જરૂરી છે, તેટલું જ જરૂરી છે સારો ખોરાક. રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે તમને ફિટ અને હેલ્ધી રાખી શકે છે. જેમાંથી તમારા માટે સૌથી બેસ્ટ છે કેલ્શિયમ, પ્રોટીનથી ભરપૂર કાચું પનીર(તમારા સ્નાયુઓને મજબૂત કરશે, સાથે જ તેને ખાવાથી શરીરને જરૂરી વિટામિન્સ પણ મળી રહે છે.
પનીર ક્યારે ખાવું
કાચા પનીરનું સેવન નાસ્તા અને લંચના એક કલાક પહેલાં કરો.
તેના સેવનથી તમે આખો દિવસ ઓવરઇટિંગથી દૂર રહેશો.
કસરતના થોડા કલાકો પછી પણ પનીરનું સેવન ફાયદાકારક છે.
આ સિવાય રાત્રે સૂવાના એક કલાક પહેલા ચીઝ ખાઓ. કારણ કે સૂતી વખતે શરીરને ખોરાક પચાવવા માટે સૌથી વધુ પ્રોટીનની જરૂર પડે છે.
પનીર ખાવાના ફાયદા
પનીરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન, એન્ટી ઓક્સિડેન્ટના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી તમામ તત્ત્વ સરળતાથી મળી જાય છે. સાથે જ તે શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જે રોગોથી દૂર રહેવામાં મદદ કરે છે.
વધારાની ચરબી ઘટાડે
ઘણા લોકો વજન વધવાના ડરથી પનીર ખાવાનું ટાળે છે. પરંતુ તેમાં રહેલું લિનોલિક એસિડ શરીરમાં જમા થયેલ વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. તેમજ ફાઈબર વધુ હોવાના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ત્યારે ઓવર ઈટિંગની સમસ્યાથી રાહત મળવાથી વજન નિયંત્રણમાં રહે છે.
ડાયાબિટિસમાં ફાયદાકારક
તેમાં ઓમેગા-3 ફેટી એસિડની હાજરી હોવાને કારણે ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિતપણે કાચું પનીર ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે.
હૃદયરોગ સામે રક્ષણ
નાસ્તામાં કાચું પનીર ખાવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી શરીરને આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ યોગ્ય માત્રામાં મળે છે. તેમજ પનીરમાં હાજર રહેલ હેલ્ધી ફેટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરમાં કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ રીતે હૃદય સંબંધિત રોગોથી રક્ષણ મળે છે.
હાડકાં મજબૂત બને
કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર પનીરનું સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. પનીરનું સેવન કરવાથી સાંધા, પીઠ, ગરદન કે શરીરના અન્ય ભાગોમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. જેથી બાળકોના આહારમાં પનીરનો સમાવેશ ખાસ કરવો જોઈએ.
તણાવ દૂર કરો
આજના સમયમાં દરેક વ્યક્તિ તણાવ અને ચિંતાથી પરેશાન છે. નાસ્તામાં એક વાટકી પનીર ખાવું શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી થાક અને તણાવ દૂર કરવામાં મદદ મળશે.
મજબુત ઇમ્યૂનિટી
પનીરમાં માત્ર પ્રોટીન જ નહીં, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડેન્ટ ગુણો પણ હોય છે. જેથી તેનું સેવન કરવાથી થાક અને નબળાઈ દુર થાય છે. ઉપરાંત, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધતાં બીમાર થવાનું જોખમ ઓછું થાય છે.