આજકાલ પનીર ભારતના ખાણીપીણીનો મહત્વનો ભાગ બની ચુક્યું છે. કદાચ જ ભારતીય ખાવામાં એવું કોઇ ખાવાનું હશે જેમાં એનો ઉપયોગ કરવામાં આવતો નથી. નોન વેજિટેરિયન લોકો માટે પ્રોટીન માટે ઘણા સ્ત્રોત છે પરંતુ વેજિટેરિયન લોકો માટે પ્રોટીન માત્ર દાળ અને પનીર છે.
મોટાભાગના લોકોને પનીર પ્રિય હોય છે. કેમ ન હોય ભારતીય વાનગીઓમાં પનીરની ઘણી વિવિધતા જોવા મળે છે. શાકભાજીથી લઇને પરાઠા સુધી બધી જ વસ્તુઓમાં પનીરનો અલગ જ ઉપયોગ થાય છે. માત્ર સ્વાદ નહીં, આરોગ્ય માટે પણ પનીર એટલું જ ફાયદાકારક છે. કેલ્શિયમથી ભરપુર હોવાના કારણે પનીર તમારા હાડકા અને દાંત માટે પણ એટલું સારું છે. પ્રોટીનથી ભરપુર પનીર માંસપેશીઓ માટે ફાયદાકારક છે અને પનીર ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. પનીર ભુખ ઘટાડનાર હોર્મોન જેમકે જીએલપી-1, પીવાયવાય અને સીસીકેના સ્તરને વધારે છે. તો બીજી તરફ ભુખ વધારનારા હોર્મોનનું સ્તર ઘટાડે છે. તેનાથી વ્યક્તિને ડાયેટિંગ કરવામાં સરળતા રહે છે.
કેવી રીતે ઘટાડે છે વજન
પનીરમાં ગુડ ફેટ્સ હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. પનીરમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબ જ ઓછી હોય છે. વેઇટ લોસ માટે ડાયેટમાં લો-કાર્બ હોય તે જરુરી છે. તો પનીરથી સારું બીજું શું હોઇ શકે. પનીરમાં કેલ્શિયમની માત્રા પણ સારી હોય છે. કેલ્શિયમ તમારા હાડકા અને દાંતને મજબુત કરવા ઉપરાંત ફેટ બર્ન કરવામાં પણ મદદ કરે છે.
લાઇફસ્ટાઇલ પણ સુધારો
મેદસ્વીતા દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઇ રહી છે. ખોટી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની ખોટી આદતોના કારણે માત્ર વયસ્કો નહીં બાળકોનું વજન પણ ઝડપથી વધી રહ્યુ છે. આ કારણે શરીરમા ફેટની માત્રા વધે છે. તેના લીધે ડાયાબીટીસ, હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટ ડીસીઝ જેવી ગંભીર બીમારીઓ તમને ઘેરી લે છે. આવા સંજોગોમાં તમારે ડાયેટ કન્ટ્રોલ ઉપરાંત લાઇફસ્ટાઇલ સુધારવાની અને સાથે યોગ તેમજ એકસર્સાઇઝ કરવાની પણ જરુર છે.