રાજયના મોટાભાગના જીલ્લાઓમાં વરસાદ થયો છે. પરંતુ જુલાઈ માસના બે સપ્તાહ બાદ પણ હજુ કેટલાક જીલ્લાઓ એવા છે જયાં વરસાદ થયો નથી. જામગનર અને દ્વારકા જીલ્લામાં વરસાદનું આગમન ન થતા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે પણ અપુરતો વરસાદ જામનગરમાં થયો હતો. જેના કારણે હાલ મોટાભાગના ડેમ ખાલી છે. ખેડુતોને સિંચાઈ માટે પાણી મળતુ નથી તો પીવાના પાણીની પણ સમસ્યાઓ જોવા મળે છે. આ વર્ષે મેઘરાજા મનમૂકી વરસી પડે તે માટે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો છે.