પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે રવિવારે એટલે કે ગઇ કાલે તેઓએ જાપાનના પ્રધાનમંત્રી શિન્જો અબે સાથે અનઔપચારિક વાતચીત કરી.
ત્યારબાદ તેઓએ 13મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલાનમાં ભાગ લીધો. તે સમયે પીએમ મોદીએ કહ્યું કે બંને દેશ વચ્ચે ભાગીદારીની વ્યાખ્યા બદલાઈ રહી છે. હવે એક ખાસ પ્રકારની ભાગીદારી રૂપે મજબૂત બની છે.
તો જાપાનના પ્રધાનમંત્રી શિન્જો અબેએ કહ્યું કે તેઓ આજીવન ભારતના મિત્ર રહેશે. જાપાન જ્યારે બહુ ધનિક દેશ નહોતો ત્યારે ભારતના પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂએ હજારો લોકો વચ્ચે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી કિશીનો પરિયચ કરાવતા તેઓનું સન્માન કર્યુ હતું.
શિન્જોએ નહેરૂજીના વખાણ કરીને ભારત અને જાપાનના મજબૂત સંબંધોને વાગોળ્યા હતા. તમને જણાવી દઇએ કે પીએમ મોદી આજે ટોક્યોમાં ભારતીય સમુદાયનાન લોકો વચ્ચે પહોંચ્યા હતા.
અહીં તેઓએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પીએણ મોદીએ કહ્યું કે ભારત હાલ ખૂબ મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વ આજે માનવતાની સેવા માટે ભારતના પ્રયાસોનું ગૌરવગાન કરી રહ્યું છે.
ભારતમાં જે નીતીઓનું નિર્માણ થઈ રહ્યું છે તે જનસેવા ક્ષેત્રમાં થઈ રહેલા કામોને સન્મામ મળી રહ્યું છે. જેને લઈને વિશ્વમાં ભારતને લઈને ઉત્સુકતા છે. સાથો જ સાથ દેશમાં દુનિયામાં ભારતના ચશ્માથી જોવાનું કામ ચાલી રહ્યું છે.