આધુનિક ભારતનો શ્રેય ભલે બધા જ રાજનેતાઓ પોતાને આપતા હોય, પણ જે ભારત તમને દેખાઈ રહ્યું છે તેની ઈંટ પંડિત જવાહરલાલ નહેરુએ મૂકી હતી.
IIT, ISRO, DRDO, પંચવર્ષીય યોજનાનો લાભ રહ્યા છે આ બધુ જ નહેરુજીની દેણ
આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તે સપનું પણ તેમણે જોયું હતું
નહેરુ કોણ હતા તે વાત હંમેશા અટલ બિહારી વાજપેયી પોતાના ભાષણમાં વારંવાર કહેતા
IIT, ISRO, DRDO, પંચવર્ષીય યોજનાનો લાભ રહ્યા છે આ બધુ જ નહેરુજીની દેણ
આજના આ આધુનિક ભારતમાં પોતાના સ્વાર્થ માટે થઈને જવાહરલાલ નહેરુ પર રાજનેતાઓ કીચડ ઉછાળી રહ્યા છે, પણ હકીકત એ છે કે જે ભારતને દુનિયા ઓળખી રહ્યું છે તે માટેની અથાગ મહેનત પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી. આજે તેમની 57મી પુણ્ય તિથી છે. જે યુવાનો IIT, ISRO, DRDO, પંચવર્ષીય યોજનાનો લાભ રહ્યા છે આ બધુ જ નહેરુજીની દેણ છે. 1947 માં જ્યારે અંગ્રેજો દેશ છોડીને ગયા ત્યારે ભારતની અર્થ વ્યવસ્થા માત્ર 2.7 લાખ કરોડ હતી. ધંધા રોજગાર કઈ હતા નહીં, વૈજ્ઞાનિકો પણ હતા નહીં, જેના કારણે ખેતી પણ જૂની રીતો પ્રમાણે થતી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી આખી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. તેમણે બંને વિશ્વયુધ્ધના પરિણામો પોતાની આંખો જોયા હતા એટેલે માનવીઓની પીડા તેઓ સારી રીતે અનુભવતા હતા. તેઓ જાણતા હતા કે આ દુનિયામાં શાંતિ સ્થાપવા માટે મનુષ્યની પીડા લોકો સમક્ષ વર્ણવી પડશે.
આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તે સપનું પણ તેમણે જોયું હતું
28 ઓગસ્ટના 1954ના રોજ તેમણે સંબોધન આપતા કહ્યું કે શાંતિ વગર બધા જ સપનાઓ અધૂરા રહે છે, જે છેલ્લે રાખ થઈ જાય છે. ભારતની આઝાદી પછી પંચવર્ષીય યોજના, યોજના આયોગ, પબ્લિક સેક્ટર, સ્વાસ્થ્ય, આધુનિક ભારતમાં શિક્ષણ સાથે સાથે એવી ઘણી બધી યોજનાઓ તેમણે ભારતને આપી છે. સાથે સાથે આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તે સપનું પણ તેમણે જોયું હતું.
નહેરુ કોણ હતા તે વાત હંમેશા અટલ બિહારી વાજપેયી પોતાના ભાષણમાં વારંવાર કહેતા
નહેરુ કોણ હતા તે વાત હંમેશા અટલ બિહારી વાજપેયી પોતાના ભાષણમાં વારંવાર કહેતા હતા. પંડિતજીના નિધન પર તેઓ બોલ્યા હતા કે "એક સપનું આખું અધૂરું રહી ગયું, એક ગીત મૌન થઈ ગયું, અને એક દીવો ઓલવાઈ ગયો. દુનિયાને ભૂખ અને ભયથી મુક્ત કરવાનું સપનું, ગુલાબની ખુશ્બુ, ગીતાના જ્ઞાનથી ભરેલા ગીતો, અને માર્ગ બતાવતો પ્રકાશ... આ માત્ર પરિવાર, સમાજ કે પાર્ટીનું જ દુખ નથી. ભારત માતા પણ દુખી હશે કે માતાએ પોતે એક પ્રિય રાજકુમાર ગુમાવી દીધો. માનવતા મરી પરવારી કારણકે તેની પૂજા કરવા વાળા જ હવે નથી રહ્યા, દુનિયાના મંચ પર એક કલાકાર તેનું છેલ્લું નાટક ભજવી જતો રહ્યો, તેમની જગ્યા કોઈ નથી લઈ શકતું.
નહરુજીને પહેલેથી રાજકારણમાં રસ હતો, ભારતીય વિદેશનીતિની પંચશીલ સમજૂતી પણ નહેરુજીની જ દેણ છે, આ બધી જ નીતિઓમાં ચીન સાથે પણ પંચશીલ સમજૂતી કરી હતી. પણ ચીને આ સમજૂતી નિભાવી નહીં, પણ ભારત આજે પણ આ બધી જ નીતિઓનું પાલન કરે છે. આ બધી જ સમજૂતી બૌધ્ધ ધર્મને આધારે લેવામાં આવી હતી.