મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલા એક વાર ફરી ઝડપથી વધી રહ્યા છે.
સતત 3 દિવસોથી 10 હજારથી વધારે કેસ
સંક્રમિતોની સંખ્યા 22, 08, 586 સુધી પહોંચી ગઈ
કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીકે ટીમ મોકલી
સતત 3 દિવસોથી 10 હજારથી વધારે કેસ
સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ સતત 3 દિવસોથી 10 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે સંક્રમિતોની સંખ્યા 22, 08, 586 સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે વિદર્ભ, પૂણે અને મુંબઈમાં ઝડપથી નવા મામલા સામે આવવાના કારણ પાછળ 13 દિવસમાં 1 લાખ મામલા જોડાયેલા છે.
કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીકે ટીમ મોકલી છેકેન્દ્ર સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કોવિડ 19ના મામલા વધવાના કારણે મહામારીના પ્રત્યે લોકોની ઓછી જાગૃતતા અને ડર ન લાગવા જેવી બાબતો છે. વધતા મામલાને જોતા કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીકે ટીમ
રવિવારે સામે આવ્યા 11 હજારથી વધારે કેસ
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર રવિવારે રાજ્યમાં કોરોના વાયરસના 11, 141 નવા મામલા સામે આવ્યા છે. ત્યારે 38 લોકોના મોત સંક્રમણના કારણે થયા છે. જેમાં કુલ મોતના આંકડા 52, 478 થઈ ગયા છે. આ પહેલા શુક્રવાર અને શનિવારે રાજ્યમાં ક્રમશઃ 10,216 અને 10 187 મામલા દાખલ કરવામાં આવ્યા છે. ઓરંગાબાદ જિલ્લામાં લગાવવામાં આવ્યું નાઈટ કર્ફ્યૂ.
વીકેન્ડ પર સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરાયો
સંભાજીનગર(ઔરંગાબાદ)માં કોરોનાના કેસમાં વૃદ્ધિ થવાના કારણે વીકેન્ડ પર સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ 11 માર્ચથી 4 એપ્રિલ સુધી ઔરંગાબાદમાં રાતના સમયે એટલે કે રાતના9થી સવારના 6 વાગ્યા સુધી પ્રતિબંધ લાગૂ કરાયો છે. લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ, મેરેજ હોલ બંધ રહેશે.
નિયમોનું પાલન નથી થઈ રહ્યું જેના કારણે કેસ વધ્યા
મહારાષ્ટ્ર એ 6 રાજ્યોમાં સામેલ છે જ્યાં કુલ સંક્રમિતોના 85 ટકા કેસ નોંધાયા છે. દેશના કુલ કેસના 50 ટકા કેસ મહારાષ્ટ્રમાં હોવાનું મનાય છે. પંચાયતની ચૂંટણી, લગ્ન અને સ્કુલો ખુલવા પર ભીડમાં કોરોનાના નિયમોનું પાલન નથી થઈ રહ્યું જેના કારણે કેસ વધ્યા છે.
રસીકરણમાં સ્પીડ લાવવી પડશે
કેન્દ્ર સરકારે કહ્યું કે જે રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે તેમણે રસીકરણમાં સ્પીડ લાવવી પડશે. એક બેઠકમાં રાજ્યનોને કહ્યું કે ઓછામાં ઓછા 15 દિવસ અને વધુમાં વધુ 28 દિવસોમાં રસીકરણ માટે ખાનગી હોસ્પિટલો સાથે ગઠબંધન કરે. સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 20 લોકોની શોધ કરવામાં આવે. કેન્દ્રએ કહ્યું કે બેદરકારી ન વર્તો, સંક્રમિતોના સંપર્કમાં આવનારા લોકોને શોધો અને તપાસમાં મૂળ નિયમોનું પાલન કરો. સુક્ષ્મ યોજના બનાવો અને પ્રોટોકોલમાં કડકાઈથી પાલન કરો. હોમ ક્વોરેન્ટાઈન સુનિશ્ચિત કરો, હોટસ્પોર્ટ વિસ્તારમાં 100 ટકાની તપાસ કરો અને પ્રસાર પર પ્રતિબંધ લગાવો.