પંચમહાલના વરવાળાના મહિલા સરપંચના પતિનો વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. VTV દ્વારા એ વિસ્તારના DDO, અને TDO સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતુ.
મહિલા સરપંચનો પતિ ઉઘરાવતો હતો પૈસા
વીડિયો થયો વાઈરલ અને VTV એ તંત્રને પૂછ્યા સવાલો
તંત્ર સફાળુ જાગીને લાગ્યુ કામે
પંચમહાલના વરવાળાના મહિલા સરપંચના પતિના વીડિયો બાદ સરકારી યોજનાઓ અને તેનાથી મળનારા લાભ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ યોજનાઓ સરકારી કર્મચારીઓ માટે છે કે તેની જરુરિયાત વાળા આદિવાસીઓ માટે? VTVની ઝુંબેશ બાદ તમામ સરકારી સ્કીમોના લાભાર્થીઓ સુધી આ યોજાનાઓ પહોંચે છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.
વીડિયોમાં સરપંચનો પતિ કમિશનર સુધી કમિશન પહોંચતુ હોવાની વાતો કરી રહ્યો છે. ત્યારે ખુલ્લે આમ કટકી આપો અને મનરેગા, આવાસ યોજના કે બીજી તમામ યોજાનાનો લાભ મેળવો. આ મામલે VTV તંત્ર સુધી પહોંચ્યુ હતુ અને સવાલો પૂછ્યા હતા. જનતા છેતરાઈ જાય પછી તપાસની વાતો થઈ રહી છે. લોલમ લોલ ચાલી રહેલા તંત્ર સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે.
ખુલાસો આપ્યા પછી કાર્યવાહી કરીશું -TDO
TDO સેજલબેન સાંગડાએ આ અંગે જણાવ્યું હતુ કે, અમે વીડિયો જોયો છે અને પહેલા એ મહિલા સરપંચ અને તેના પતિ પાસે આ અંગે ખુલાસો માંગીશુ ત્યાર બાદ અમે કાર્યવાહી કરીશું.
વીડિયો જોઈને આપી દીધા તપાસના આદેશ- DDO
DDO એ. જે. શાહે આ વિશે જણાવ્યું હતુ કે, મને આ વીડિયો VTVના માધ્યમથી મળ્યો હતો મેં તુરંત જ તપાસના આદેશ આપી દીધા છે અને સ્થળ ઉપર તપાસ કરીને ઘટીત પગલા લેવા માટેના આદેશ આપી દીધા છે. જોબ કાર્ડ, નરેગાની સ્કીમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વગેરેનું કરાર ઉપર રાખેલા 345 માણસોનું માળખુ છે હવે તેમાંથી કોણ લાભાર્થી સાથે કેવું વર્તન કરે છે તે જાણવુ અઘરૂ છે. તાત્કાલિક રીતે તંત્ર રૂબરૂ જઈને જાત તપાસ કરશે. અમે અરજદાર, લાભાર્થી, નિયામક શ્રી તમામને આદેશ આપી દેવામાં આવ્યા છે.
તમે TDOને જાણ કરો કે કલેક્ટરને જાણ કરો બધે ટકાવારી છેઃ સરપંચનો પતિ
હું કંઈ ન જાણું બધા આપે છે તમારે પણ પૈસા આપવા પડશે. આ મામલે કલેક્ટરને કહો કે ટીડિઓને બધાને કમિશન જાય છે. જોબકાર્ડના પૈસા નહીં આપો એટલે તમને જોબકાર્ડ પણ કેન્સલ થશે અને એના કોઈ લાભ નહીં મળે.
કેવા કેવા પ્રશ્નો ઉઠ્યા
મહિલા સરપંચના પતિઓ જ ખરેખરૂ સરપંચ પણું સંભાળે છે?
શું ખરેખર કમિશન પહોંચે છે કમિશનર સુધી?
આપણે આદિવાસી વિસ્તારમાં મોટેભાગે આવાસ મંજૂર કરતી વખતે સ્થળ તપાસ થઈ છે?
યોજનાના લાભ આપતા પહેલા તેનું મોનિટરિંગ થયુ હતુ?
તંત્ર પણ આમાં છે સામેલ?