ગોધરા નજીક પરવડી પાંજરાપોળ પાસે પોલીસવાન પલટી ખાઈ ગઈ હતી. દાહોદથી આ પોલીસવાન કેદીને લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અચાનક વચ્ચે ટ્રક આવી જતા વાનચાલકે બ્રેક મારવા જતા આ ઘટના બની હતી.
આ ઘટનાની મળતી વધુ વિગત મુજબ દાહોદથી કેદીને લઈ જતી પોલીસ વાન ગોધરાના પરવડી પાંજરાપોળ પાસે પલટી ગઈ હતી. સામેથી ટ્રક વચ્ચે આવી જતાં પોલીસ વાનચાલકે અચાનક બ્રેક મારતાં વાન પલટી ગઈ હતી. પોલીસ વાનમાં 4 પોલીસ કર્મચારીઓ એક કેદી અને ડ્રાઈવર હતા. બધાને સાધારણ ઇજા થઈ હતી કોઈને મોટી ઇજાના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે આ પોલીસવાનમાં 4 પોલીસકર્મી અને એક વાનચાલક તથા 307 ગુના હેઠળનો કેદી મળી કુલ 6 લોકો સવાર હતા. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાના પગલે આસપાસના સ્થાનિકો એકત્ર થયા હતા અને પલટેલી પોલીસવાનને સીધી કરવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા.