પંચમહાલ શહેરામાં ઘઉં અને ચોખાના જથ્થાની ગેરરીતિ મામલે ફરિયાદમાં રૂ.3 કરોડ 67 લાખ 72 હજાર 900ની આરોપ કરવામાં આવ્યો છે.
પંચમહાલ શહેરાના કથિત અનાજ કૌભાંડનો મામલો
રૂ.3.67 કરોડના અનાજ કૌભાંડ મુદ્દે પોલીસ ફરિયાદ
શહેરા મામલતદારે 3 વ્યક્તિઓ સામે કરી ફરિયાદ
પંચમહાલના સમગ્ર કૌભાંડ અંગે વાત કરવામાં આવે તો, પંચમહાલના સરકારી ગોડાઉનમાં મામલતાદ અને જિલ્લા પુરવઠા મામલતદારે અચાનક રેડ પાડી હતી. જેમાં 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટમાં ગોડાઉનની અંદર પ્રમાણસર મળી આવ્યો હતો. પરંતુ ઓડિના 20 દિવસ પછી ફરી ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ગાયબ હોવાનું સામે આવ્યું.
માત્ર 20 દિવસમાં જ ઘઉંના 50 કિલો વજનના 13 હજાર 127 કટ્ટા જેની કિંમત 1 કરોડ 34 લાખ થાય છે જ્યારે ચોખાના 1298 કટ્ટા જેની 12 લાખ 98 હજારની કિંમતના ગાયબ જોવા મળ્યા. એટલે કે, કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડીઓએ બહાર વેચી માર્યું છે.જોકે સમગ્ર કૌભાંડ સામે આવતા જ વીટીવીએ ગોડાઉનના મેનેજર સાથે વાત કરવાની કોશિશ કરી તો તે ટેકનિકલ ખામીનું રટણ રટતા કેમેરાથી દૂર ભાગતા જોવા મળ્યા.
સૌથી હત્વની વાત તો એ છે કે, 2019માં પણ કાલોલથી આ પ્રકારનું જ કૌભાંડ ઝડપાયું હતું. જેમાં 4.33 કરોડનું અનાજ સગેવગે કરાયું હતું. અને આ કૌભાંડ કેસમાં 9 લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પરંતુ અહીં સવાલ એ થાય છે. સરકારી ગોડાઉનમાંથી અનાજ ગયું તો ગયું ક્યાં? જો 31 જાન્યુઆરીએ ગોડાઉનમાં અનાજનો પુરો જથ્થો હતો. તો 20 દિવમાં કરોડોનું અનાજ ક્યાં ગાયબ થઈ ગયું? શું ગોડાઉનના સંચાલકો અને જિલ્લાના અધિકારીઓએ અનાજ બહાર વેચી માર્યું છે? કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે કૌભાંડ ચાલી રહ્યું છે? અનાજ ગાયબ થયું તો કોણે ખરીદ્યું?
ત્યારે જિલ્લા પૂરવઠા મામલતદારે, જિલ્લા પૂરવઠા અધિકારી, ગોડાઉન મેનેજર, ઓડિટ ટીમ, સહિતના જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલુ છે.. તેવામાં જોવાનું એ રહેશે કે, આ કૌભાંડના તાર ક્યાં સુધી ખુલે છે.. અને ગરીબોના અનાજના સૌદાગરો ક્યારે ઝડપાય છે.