પંચમહાલના નારુકોટ ગામ પાસે જંગલમાં ભીષણ આગ લાગી હતી. જંગલમાં અચાનક આગ લાગતાં જંગલનો કેટલોક ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આગને કારણે સૂક્ષ્મવન્ય જીવોને ખૂબ જ નુકસાન થયુ છે. આ ઘટનાને પગલે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે જંગલોમાં દવ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે આજરોજ પંચમહાલના નારુકોટ ગામ નજીક આવેલ જંગલ દવની ઝપેટમાં આવી જતાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગને પગલે પ્રાણીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. વનવિભાગે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી છે.