સરકારી અધિકારીઓ જમીન, વીમા, મનરેગા, અને દરેક સરકારી સ્કિમ કે યોજનામાં વારંવાર ભ્રષ્ટાચાર કરતા ઝડપાય છે તેમ છતાં કેમ તંત્રની ઉંઘ નથી ઉડતી? આવો જ એક કિસ્સો પંચમહાલના શહેરમાં સામે આવ્યો હતો. ખેતતલાવડી કૌભાંડ સામે આવ્યું હતું જે મામલે તપાસ કરતાં કરોડોના કૌભાંડનો મામલો સામે આવ્યો છે.
પંચમહાલના શહેરા તાલુકામાં ખેત-તલાવડી યોજનામાં કૌભાંડનો મામલો
અધિકારી રામેન્દ્ર કુશવાહની અપ્રમાણસર મળી આવી મિલકત
જમીન સંરક્ષણ અધિકારી રામેન્દ્ર કુશવાહ સામે હતી ફરીયાદ
શહેરા તાલુકામાં ખેતતલાવડી યોજનામાં કૌભાંડનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારી રામેન્દ્ર કુશવાહની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જમીન સંરક્ષણ અધિકારી રામેન્દ્ર કુશવાહ સામે ફરીયાદ થઇ હતી. સમગ્ર મામલાની તપાસ ગોધરા ACB કરી રહી છે.
શું મળ્યું તપાસમાં?
આ તપાસમાં આવક કરતા 62.68 ટકાની વધુ મિલકત મળી આવી છે. 3.71 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. ગોધરા ACBએ પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગેની ફરીયાદ નોંધાવી છે. આ ફરિયાદની તપાસ મહીસાગર ACBને સોંપવામાં આવી છે.
શું છે મામલો?
વર્ષ 2018માં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં જમીન વિકાસ નિગમ દ્વારા ખેતતલાવડીની યોજનામાં કરવામાં આવેલ ગેરરીતિનો મામલો છે. એ વખતે ખેતતલાવડી બનાવવાની યોજનામાં GLDC કચેરી ગોધરાના જમીન સંરક્ષણ અધિકારી, રામેન્દ્ર કુશવાહ સામે શહેરા પોલીસ મથકે કૌભાંડ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ ગોધરા ACB દ્વારા કરવામાં આવતા જમીન સંરક્ષણ અધકારી રામેન્દ્ર કુશવાહની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે.