પંચમાહલ હાઇકોર્ટના આદેશ પછી હાલોલના કાલોલમાં મુખ્ય પરીક્ષા કેન્દ્ર બદલવાથી છેલ્લી ઘડીએ દોડધામ થઈ ગઈ હતી.
કેન્દ્ર બદલાયાની માહિતીથી વિદ્યાર્થીઓ અજાણ હોવાથી એમ.જી.એસ હાઈસ્કુલ પહોંચ્યા હતા વાસ્તવમાં એમ.જી.એસ હાઇસ્કૂલમાંથી શાંતિનિકેતન સ્કૂલમાં મુખ્ય કેન્દ્ર બદલાયું હતુ. અંતિમ સમયે એમ.જી.એસ સ્કુલ ખાતે પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને શાંતિનિકેતન સ્કુલના પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવા ઇમરજન્સી સ્કુલ વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
છેલ્લા સમયે કેન્દ્ર બદલાતા કેટલાક વિદ્યાર્થી મુશ્કેલીમાં મૂકાયા હતા. પરીક્ષા પહેલા જ મુંઝવણમાં મુકાયેલા વિદ્યાર્થીઓ દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. જો કે અચાનક ૫રીક્ષા કેન્દ્ર બદલવાની બાબત શિક્ષણ વિભાગની બેદરકારી કારણભૂત હોવાની ફરિયાદો વાલીઓમાંથી ઉઠી છે કારણ કે ૫રીક્ષા ૫હેલા તમામ તૈયારી કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની હોય છે. છેલ્લી ઘડીએ કેન્દ્ર બદલાતા થયેલી દોડા-દોડીથી વિદ્યાર્થી તણાવમાં આવી ગયા હતાં. જેની સીધી અસર ૫રીક્ષા પર પડી શકે છે.