પંચમહાલ ગોધરાના જહુરપુરા વિસ્તારમાં આવેલા શાકમાર્કેટને સીલ મારવામાં આવ્યું હતું. નગરપાલિકા સંચાલિત આ શાકમાર્કેટને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું છે. દુકાનોનું વાર્ષિક ભાડું ના ભરવામાં આવતા પાલિકાએ આ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
શાકમાર્કેટમાં રહેલી દુકાનોનું વાર્ષિક ભાડું ના ભરવામાં આવતા સીલ મારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શાકમાર્કેટનું રૂ. 50 લાખથી પણ વધુ ભાડું નગરપાલિકાને ના ચૂકવાતા કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ નગર પાલિકાની આ કાર્યવાહીથી શાકમાર્કેટના વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.