પંચમહાલનું ફળીયા ગામ હિબકે ચઢ્યુ છે. અહિં એવી દૂર્ઘટના ઘટી છે કે કોઈના આંસૂ કેમેય કરીને રોકાતા નથી. એક જ પરિવારની ચાર દીકરીઓના ડુબી જવાથી મોત થયા છે. આ બાળકીઓના મૃતદેહ લવાતા પરિવારજનોમાં આક્રંદ મચી ગયુ હતુ.
પંચમહાલના દાહોદના ગૂંગરડી ગામના તળાવમાં 4 બાળકીઓ ડૂબી
ફળીયા ગામની એક જ કુટુંબની બાળકીઓ તળાવમાં ડૂબી
તળાવ પાસેથી બાળકીઓના કપડાં મળતા શોધખોળ હાથ ધરાઈ
પંચમહાલના દાહોદના ગૂંગરડી ગામના તળાવમાં 4 બાળકીઓ ડૂબી છે. ફળીયા ગામની એક જ કુટુંબની 4 બાળકીઓ એક સાથે ડુબી જવાથી આક્રંદ મચી ગયુ હતુ.
ચારેય બાળકીઓ એક જ પરિવારની હતી
બાળકીઓની ઉમંહર 8 , 9, 11 અને 12 વર્ષની હતી. ચાર બાળકીઓ તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. શનિવારે પશુ ચરાવવા માટે બાળકીઓ ગઈ હતી. મોડી સાંજ સુધી બાળકીઓ ઘરે ન પહોંચતા શોધખોળ શરૂ કરાઈ હતી.
પંચમહાલના દાહોદના ગૂંગરડી ગામની એક જ કુટુંબની 4 બાળકીઓ તળાવમાં ડૂબી. શનિવારે પશુ ચરાવવા ગયેલી 8 , 9, 11 અને 12 વર્ષની ચાર બાળકીઓ તળાવમાં ડૂબી. સ્થાનિક તરવૈયાઓની કલાકોની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા #panchmahal#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 14, 2020
સ્થાનિકોએ મૃતદેહ કાઢ્યા બહાર
જેમાં તળાવ પાસેથી બાળકીઓના કપડાં મળી આવ્યા હતા. આખરે સ્થાનિક તરવૈયાઓની મદદથી. બાળકીઓની શોધખોળ આદરવામાં આવી હતી. આખરે કલાકોની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ ચારેય બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.