શહેરોમાં અને પાટનગરની પાડોશમાં ઝાકમઝોળ આખા રાજ્યના વિકાસની વાતો કહી શકે નહીં. વિકાસની ગતિને જોવા માટે તમારે પંચમહાલ જિલ્લાના આદિવાસી પટ્ટામાં એક લટાર મારવી પડશે કે જ્યાં આજે પણ લોકો રોજિંદી અવરજવર માટે પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યાં છે.
જ્યાં સુધી છેવાડાના નાગરિકને રોજિંદા વ્યવહારમાં હાલાંકી ઓછી થતી નથી ત્યાં સુધી કહીં શકાય તેમ નથી કે ચૌમુખ અને ચૌદિશાએ પહોંચી ગયો છે. શહેરોમાં અને પાટનગરની પાડોશમાં ઝાકમઝોળ આખા રાજ્યના વિકાસની વાતો કહી શકે નહીં. વિકાસની ગતિને જોવા માટે તમારે પંચમહાલ જિલ્લાના આદિવાસી પટ્ટામાં એક લટાર મારવી પડશે કે જ્યાં આજે પણ લોકો રોજિંદી અવરજવર માટે પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યાં છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
આદિવાસી વિસ્તારોમાં લોકો પાણી વચ્ચેથી થઇ રહ્યાં છે પસારઃ
આ રથ માત્ર મહાનગરોની સરહદો વચ્ચે અથડાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, બુલેટ ટ્રેનના સપના જોતી સરકાર વિકાસના વેગને હજુ અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડી શકી નથી. રોજિંદી અવરજવર માટે પણ પાણીમાં ચાલીને પસાર થવું તેવી હાલાકીનાં દ્રશ્યો પંચમહાલ જિલ્લાના મીરપ ગામ અને તેની આજુબાજુના ગામની હાલાકી વર્ણવી રહ્યાં છે. મીરપ તેમજ આજુબાજુના ગામોમાં આવેલા 20 ઉપરાંત ગામોમાં માત્ર પ્રાથમિક શિક્ષણની સુવિધા છે. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, આરોગ્યલક્ષી તમામ સેવાઓ તેમ જ ખરીદી માટે ગોધરા તાલુકાનો જ સહારો લેવો પડે છે. પરંતુ તે માટે મીરપ ગામ અને સંતરોડ ગામ વચ્ચેથી પસાર થતી પાનમ નદીના પાણીને પાર કરવા ફરજિયાત છે. કેમ કે, વિકાસનો પુલ હજુ અહીં તંત્રની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. તંત્રની ઈચ્છા અને જૂના પુલનું માળખું હજુ પાણીમાં ડૂબેલા છે.
અનેક રજૂઆતો છતાં તંત્ર લાપરવાહઃ
સ્થાનિક લોકો દ્વારા વર્ષ 2006 થી પાનમ નદી પર પુલ બનાવવા માટે અનેક રજુઆતો કરાઈ ચૂકી છે. માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ છેક મુખ્યમંત્રી સુધી ભૂતકાળમાં રજૂઆત કરાઈ ચૂકી છે. પરંતુ મંત્રીઓ કે અધિકારીઓને આ માટે ફુરસદ મળી નથી. સ્થાનિક લોકોની ફરી વાર ઉગ્ર રજૂઆતોના પગલે વર્ષ 2017માં પંચમહાલ જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે થોડું ધ્યાન આપ્યું. જિલ્લા માર્ગમકાન વિભાગે રૂ.12.50 કરોડનું એસ્ટીમેટ રાજ્ય સરકારમાં મોકલી પણ આપ્યું પરંતુ તે જાણે સ્થાનિકોના રોષને ખાળવા માટેની તાંત્રિક ચાલ જ બની રહી. પરિણામે છેલ્લાં 13 વર્ષથી મોરવા હડફ તાલુકાના મીરપ ગામ અને તેની આજુબાજુમાં આવેલા 20 ગામોના લોકો રોજીંદા વ્યવહાર માટે પાનમ નદીના પાણી પરથી પસાર થવા મજબૂર બન્યાં છે. પરંતુ તંત્ર એક જ રેકર્ડ વગાડે છે કહે છે દરખાસ્ત મળી છે.
વર્ષ 2017માં પંચમહાલ જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે થોડું ધ્યાન આપ્યું. જિલ્લા માર્ગ મકાન વિભાગે રૂ.12.50 કરોડનું એસ્ટીમેટ રાજ્ય સરકારમાં મોકલી આપ્યું પરંતુ તે જાણે સ્થાનિકોના રોષને ખાળવા માટેની તાંત્રિક ચાલ જ બની રહી. રસ્તાના અભાવે આકસ્મિક આરોગ્યલક્ષી સારવાર કે પ્રસૂતિના કેસોમાં અનેક વખત જીવ પડીકે બંધાયા છે. ભૂતકાળમાં પાનમ નદી પસાર કરતી વેળાએ તણાઈ જવાના - ડૂબી જવાના બનાવો પણ બનેલા છે. પરંતુ હવે વિકાસ બુલેટ ગતિએ આગળ વધી જ રહ્યો છે ત્યારે આ નાગરિકોને આશા બંધાઈ છે કે, કે કોઈ ચૂંટણી પહેલા તો અહીં પુલ બંધાશે. જેટલું મોડું થશે તેટલું નુકસાન સરકાર અને સ્થાનિક લોકો બન્નેએ અને સરવાળે આ રાજ્યને જ ભોગવવું પડશે.