ભારત વિવિધ વિભીન્નતાઓ ધરાવતો દેશ છે. જેમાં અનેક ધર્મો અને સંપ્રદાયો અને ધર્મિક સ્થળો આવેલા છે. ભારતના દેવી-દેવતા માત્ર ભારત પુરતા જ નથી રહ્યા પરંતુ વિશ્વના અનેક દેશોમાં જાણીતા બનેલા છે. ત્યારે પાકિસ્તાનમાં આવેલ એક હનુમાનજીના મંદિર સાથે અનેક શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે.
પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલ આ હનુમાનજીનું મંદિર સાથે કેટલાય વર્ષો જુનો ઇતિહાસ જોડાયેલ છે. આ મુર્તિ લગભગ હજારો વર્ષ જુની છે તેવી વાત લોકજીભે સાંભળવા મળી હતી.
એક લોકમાન્યતા એવી પણ છે કે ત્યાં ભગવાન રામના ચરણો પડ્યા હતાં. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે આ મંદિર પાક.ની સીમામાં આવ્યુ હતું તેમ છતાં રોજ સાંજે આરતી સમયે ભક્તોનું ઘોડાપુર અહીં દર્શન કરવા ઉમટી પડે છે.
આ મંદિર સાથે 11 નો આંક ખાસ જોડાયેલ છે. એક લોકવાયકા એવી જાણવા મળી હતી કે 11 મુઠ્ઠી રેતી હટાવવાથી પંચમુખી હનુમાનજીની એક મુર્તિ મળી આવી હતી.