પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો ફાઈનાન્સ સંબંધિત કામ કરી શકશો નહીં
આ દંડ આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ લાદવામાં આવી શકે છે
પાન કાર્ડ (Pan card) આજના સમયમાં દરેક નાણાકીય વ્યવહાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જો તમે ઈચ્છો છો કે તમારુ આ પાન કાર્ડ યોગ્ય રીતે કામ કરે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરુરી છે. પાનકાર્ડ ને આધાર કાર્ડ (Pan Aadhar Link) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ માટે 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી છે. જો આ તારીખ સુધી આ કામ નહીં કરવામાં આવે તો તમારા પાન કાર્ડનો કોઈ ફાયદો થશે નહીં. એટલું જ નહીં તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
પાનકાર્ડ બંધ થવાને કારણે નુકસાન
ઈન્કમટેક્સ વિભાગ સોશિયલ મીડિયા અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સતત અપીલ કરી રહ્યું છે. હવે આ કામ માટે આવતા મહિનાની 31 તારીખ છેલ્લી તારીખ છે. તમે હજી સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો છેલ્લી તારીખની રાહ ન જુઓ અને આ કામ તરત જ પૂર્ણ કરો. કારણ કે જો PAN નિષ્ક્રિય થઈ જશે તો તમે ફાઈનાન્સ સંબંધિત તમામ કામ કરી શકશો નહીં.
નિષ્ક્રીય પાનનો ઉપયોગ કરવો મોંઘો પડશે
જો આધાર કાર્ડને લિંક ન કરવાને કારણે પાન કાર્ડ બંધ થઈ ગયું હોય અને તમે પાન કાર્ડ નિષ્ક્રિય કર્યા પછી તેનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરો છો, તો તમારા પર 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ દંડ આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ લાદવામાં આવી શકે છે. પાન કાર્ડ રદ્દ થઈ જવાની સ્થિતિમાં તમે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક અને બેંક એકાઉન્ટ ખોલવા જેવી બાબતો કરી શકશો નહીં.
પાન આધાર લિંક છેલ્લી તારીખ
PAN-Aadhaar લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. આ કામ પતાવવા માટે તમારી પાસે આવતા મહિના સુધીનો સમય છે. આવકવેરા વિભાગ દ્વારા આ અંગે ઘણી અપીલ કરવામાં આવી છે. જો તેઓ નિયત તારીખ સુધીમાં આ કામ નહીં કરે તો 10,000નો દંડ ભરવો પડી શકે છે.
હજુ પણ સમય બાકી છે
આવકવેરા વિભાગમાં 31 માર્ચ 2023 સુધી 1000 રૂપિયાનો દંડ ભરીને તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 30 જૂનથી આધારને PAN સાથે લિંક કરવા માટે 500 રૂપિયાને બદલે 1000 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. આવકવેરા અધિનિયમ 1961 મુજબ, PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે.
31 માર્ચ છેલ્લી તારીખ
સેન્ટ્રલ ડાયરેક્ટ બોર્ડ અનુસાર, જો કોઈ પણ પાન કાર્ડ ધારક 31 માર્ચ સુધી જરૂરી નિયમોનું પાલન નહીં કરે તો તેને 500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આટલું જ નહીં તેનું કાર્ડ કેન્સલ પણ થઈ શકે છે.જાણકારી અનુસાર, જો કોઈ કાર્ડ ધારક 31 માર્ચ સુધી પોતાના PANને આધાર સાથે લિંક નહીં કરાવે તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે, જ્યારે ત્રણ મહિના પછી જો તમને લિંક કરાવો છો તો 1000 રૂપિયાનો દંડ ઓનલાઈન ભરવો પડશે.
પાન-આધાર લિંક કરવું ખૂબ જ સરળ છે
- આવકવેરાની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર લોગ ઇન કરો
- Quick Links વિભાગમાં જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો, તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે
- તમારો PAN નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર અહીં દાખલ કરો.
- I validate my Aadhaar details'નો વિકલ્પ પસંદ કરો
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને ભરો અને પછી 'વેલીડેટ' પર ક્લિક કરો
- દંડ ભર્યા પછી, તમારુ PAN આધાર સાથે લિંક થઈ જશે.
દંડની રકમ આ રીતે ભરો
પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા પર દંડ ભરવો પડશે. આ માટે તમારે આ પોર્ટલ https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp Protean પર જવું પડશે. અહીં PAN-Aadhaar લિંક કરવાની વિનંતી માટે CHALLAN NO/ITNS 280 પર ક્લિક કર્યા પછી, ટેક્સ એપ્લિકેબલ પસંદ કરો. ફી પેમેન્ટ માઇનોર હેડ અને મેજર હેડ હેઠળ સિંગલ ચલણમાં કરવાની રહેશે. પછી નેટબેંકિંગ અથવા ડેબિટ કાર્ડમાંથી ચુકવણીનો મોડ પસંદ કરો અને તમારો PAN નંબર દાખલ કરો.એસેસમેન્ટ વર્ષ પસંદ કરો અને સરનામું આપો છેલ્લે કેપ્ચા ભરો અને પ્રોસેસ પર ક્લિક કરો.