જો તમારી પાસે PAN Card નથી પરંતુ આધાર છે તો હવે તમારે પાન કાર્ડ બનાવવા માટે કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગયો છે.
વાસ્તવમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોમવારે કહ્યું કે જો કોઇ આધાર કાર્ડ દ્વારા રિટર્ન દાખલ કરે છે તો એ લોકોને ડિપાર્ટમેન્ટ જાતે જ પાન કાર્ડ જારી કરી દેશે.
આ વર્ષે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એવી જાહેરાત કરી હતી કે હવે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પાન કાર્ડ ફરજીયાત રહેશે નહીં. એમને કહ્યું હતું કે હવે માત્ર આધાર દ્નારા પણ ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકાશે. જો કે હવે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એવો નિર્ણય લીધો છે કે જે લોકો આધારથી રિટર્ન ફાઇલ કરશે તો એમના પાન કાર્ડ ઓટોમેટિક જારી થઇ જશે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ની 30 ઓગસ્ટની અધિસૂચના અનુસાર જો કોઇ વ્યક્તિ આધારનો ઉપયોગ કરીને રિટર્ન દાખલ કરે છે તો એની પાસે પાન સંખ્યા નથી તો એવું માની લેવામાં આવશે કે એને પાન જારી કરવા માટે અરજી કરી દીધી છે. ત્યારબાદ એને કોઇ દસ્તાવેજ દાખલ કરવાની જરૂર પડશે નહીં. આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગયો છે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ વિભાગ પાન નંબર ફાળવવા માટે આધારથી વ્યક્તિની અન્ય વસ્તી વિષયક માહિતી એકત્રિત કરશે.