લૉકડાઉન આમ જનતા માટે તો થોડું મુશ્કેલ હતું. પરંતુ સૌથી વધુ આ લૉકડાઉનમાં કોઈ પિસાયું હોય કે, હેરાન-પરેશાન થયું હોય તો તે છે પાન-મસાલાના વ્યસનીઓ. કારણ કે, સરકારે સૌથી પહેલું કામ પાન-મસાલાના ગલ્લાઓને બંધ કરવાનું કર્યું હતું. આ ગલ્લાઓનું બંધ થવું જાણે વ્યસનીઓની દુઃખતી રગ પર વાર સમાન હતું. અનેક લોકો તો જાણે ગાંડા તૂર બની પાન-મસાલા કે, તમાકુ માટે ફરતા હતા. જોકે લૉકડાઉન 4.0માં ફરી ગલ્લાઓને ખુલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે ગલ્લાઓ ખુલતા ઘેલા થયેલા પાન-મસાલાના બંધાણીઓની ઠેકઠેકાણે લાઇનો લાગી રહી છે.
પાન-બીડીની દુકાનો પર લાઇન
સ્થાનિકોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ અભાવ
અમદાવાદ અને બોટાદમાં પાન-બીડીની દુકાનો પર લાઇનો લાગી છે. ત્યારે બોટાદના ગઢડા ગામે પાન-બીડીની દુકાનો સંધિ ચોકમાં ખુલતા દુકાન પર ખરીદી માટે લાંબી લાઇન જોવા મળી છે. તેમજ સ્થાનિકોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. વ્યસનના કારણે કોરોના અને આરોગ્યના નિયમોને નેવે મુકી જોખમ લોકો લઇ રહ્યાં છે.
બોટાદના ગઢડા ગામે પાન-બીડીની દુકાન પર લાઇનો લાગી છે. પાન-બીડીની દુકાનો સંધિ ચોકમાં ખુલતા દુકાન પર ખરીદી માટે લાંબી લાઇન જોવા મળી છે. વેપારીઓ લોકડાઉનનો લાભ ઉઠાવી વસ્તુઓના કાળા બજાર કરી રહ્યાં છે. #Botad#PanMasala#Gujarat#lockdownpic.twitter.com/ZpZoX8ChYC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2020
અમદાવાદમાં પણ પાન-મસાલા બજારમાં લોકોના ટોળા
અમદાવાદમાં પાન-મસાલા બજાર ખુલાતાની સાથે જ લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ગુટખા ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોની ભારે ભીડ જોવા મળતા કાલુપુરમાં પાન-મસાલા બજાર બંધ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે બજાર બંધ કરાવ્યું છે. લોકો પર કંટ્રોલ ન રહેતા બજાર બંધ કરવામાં આવ્યું છે. જો આવી જ રીતે બજારમાં ભીડ રહેશે તો વેપારીઓને પણ બજાર ખોલવામાં રસ નથી. કાલુપુર કન્ટેઈનમેંટ ઝોન હોવા છતાં ચોખા બજારમાં પાન મસાલાના ગલ્લા ખુલ્યા હતા. જોકે પોલીસ કમિશનરે જણાવ્યું કે લોકોની ભીડ એકઠી થતાં દુકાનોના શટર બંધ કરાવાવમાં આવ્યા હતા.
તાપીના ઉકાઇમાં પાન-મલાસાના વ્યસનીઓની કરતૂત 25
2 દિવસ અગાઉ તાપીના ઉકાઇમાં પાન-મલાસાના વ્યસનીઓએ દુકાનદારે મસાલા ઉધાર ન આપતા ગોડાઉન સળગાવ્યું હતું. ગોડાઉનમાં મુકેલ વિમલ પાન મસાલાના થેલા સળગાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પુત્રની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે માથાભારે આનંદ શહાની અને અજિત શહાની સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.