સુરતમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે 7 દિવસ માટે શહેરના બે વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો બંધ રહેશે. કોરોનાના કેસ વધતા હાલમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. ગઇકાલે સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે પાનની દુકાનો બંધ કરવા અંગે નિવેદન આપ્યુ હતું. ત્યારે આજે મનપા કમિશનરે આ અંગે નિર્ણય લઇ લીધો છે.
સુરતના કતારગામ, વરાછામાં પાનના ગલ્લા બંધ થશે
કોરોનાને લઈને સુરત મનપા કમિશ્નરનો નિર્ણય
7 દિવસ માટે પાનના ગલ્લા બંધ કરવાનો નિર્ણય
સુરતમાં વધતા કોરોના વાયરસના કેસને લઇ સુરત મનપા કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સુરતના કતાર ગામ અને વરાછામાં પાનના ગલ્લા બંધ થઇ જશે. બંને વિસ્તારમાં પાનના ગલ્લા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7 દિવસ માટે પાનના ગલ્લા બંધ રખાશે. તો સુરત શહેરમાં પાનના ગલ્લાઓ પર 4થી વધુ લોકો હશે તો બંધ કરી દેવાશે. લોકોની ભીડ જમા ન થવા દેવા આદેશ કરવામાં આવ્યો છે. અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ યથાવત છે.
જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશુંઃ જયંતિ રવિ
સુરતમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં સુરતમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ ગઇકાલે કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. તેમણે પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઇને કહ્યું હતું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું.