પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે જુબાની જંગ તેજ થઈ રહી છે.
બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ
પીએમ મોદી અને મમતા બેનર્જી સામસામે
મમતાએ પીએમ મોદીને જૂઠ્ઠા ગણાવ્યા
મમતા બેનર્જી ભાજપ પર ગુસ્સે થાય
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની વચ્ચે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ત્યારે મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતો પરંતુ જેમ જેમ રાજ્યમાં પીએમ મોદીએ પ્રચાર શરૂ કર્યો છે તે બાદ રાજ્યમાં ચૂંટણીના મુદ્દા બદલાઈ રહ્યા છે ત્યારે મમતા બેનર્જી પણ હવે ભાજપ આક્રમક મોડમાં આવી ગયા છે.
યુપીથી આવી રહ્યા છે ગુંડા : બેનર્જી
વિષ્ણુપુરમાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે પાન મસાલા ખાનારાઓ અને તિલક લગવાનારાઓ યુપી જેવા રાજ્યોના લોકો ચૂંટણી પહેલા સમસ્યા ઊભી કરવા માટે અહિયાં મોકલવામાં આવ્યા છે. આ બધા અમારા માટે બહારના ગુંડા છે. જોકે હા અમે વર્ષોથી બંગાળમાં જ રહેતા હોય તેવા લોકોને બહારના નથી ગણતાં.
નરેન્દ્ર મોદી જેવા જૂઠ્ઠા જોયા નથી : મમતા બેનર્જી
મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને જૂઠ્ઠા ગણાવ્યા અને ભાજપ પર ગુંડા લાવવાના આરોપ લગાવ્યા. બેનર્જીએ કહ્યું કે મેં પીએમ મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ નથી જોયા. આ કહેતા મને અફસોસ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી જૂઠ બોલે છે. કોણ છે ગુંડાઓ?
માત્ર મોદી,શાહ અને અદાણી ખાશે. બીજા બધા આંસુ વહાવશે : મમતા બેનર્જી
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બંગાળની સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુપીથી ગુંડા લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એક વર્ષથી ખેડૂતો રસ્તા પર છે. અદાણી બધા જ પૈસા અને ઉત્પાદન લૂંટી લેશે. માત્ર મોદી શાહ અને અદાણીને જ ખાવાનું મળશે. બીજા બધા માત્ર આંસૂ વહાવશે. મમતા બેનર્જીએ સવાલ કર્યો કે મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. શું કોઈને પૈસા મળ્યા છે?