એકદમ સાધારણ અને ગરીબ લોકો કરોડપતિ હોવાની ખબર લોકોને હેરાન કરી જતી હોય છે. આવા લોકો ચાર રસ્તા પાસે કે પછી જાહેર માર્ગો પર ચાટ પકોડી, ચા સમોસા, કચોરી કે પછી પાન મસાલાની લારી લગાવતા હોય છે.
FSSAIનું સર્ટિફિકેટ લીધા વિના કરે છે બિઝનેસ
હેરાન કરી મૂકે તેવી હકીકત સામે આવી
GST કે INCOME TAX સાથે કઈ પણ લેવા દેવા નથી
FSSAIનું સર્ટિફિકેટ લીધા વિના કરે છે બિઝનેસ
ઉત્તરપ્રદેશમાં એકદમ સાધારણ અને ગરીબ લોકો કરોડપતિ હોવાની ખબર લોકોને હેરાન કરી જતી હોય છે. આવા લોકો ચાર રસ્તા પાસે કે પછી જાહેર માર્ગો પર ચાટ પકોડી, ચા સમોસા, કચોરી કે પછી પાન મસાલાની લારી લગાવતા હોય છે. ફૂડ સેફટી FSSAIનું સર્ટિફિકેટ લીધા વિના વર્ષોથી ખાણી પીણીનો વ્યવસાય કરતાં આ લોકો પોલીસ કે પછી સ્વાસ્થ્યના અધિકારીઓને જોઈ ભાગી જાય છે. આવા કિસ્સાઓમાં કાનપૂર શહેર એકદમ આગળ પડતું છે. જ્યાં એક દિવસમાં માત્ર એક બે નહીં, પણ 250 થી વધુ લોકોના આ પ્રકારના કેસ સામે આવ્યા છે.
હેરાન કરી મૂકે તેવી હકીકત સામે આવી
આ ધનીકોની યાદીમાં નાની નાની ગલીઓમાં કરિયાણા અને દવાની મેડિકલ સ્ટોર ધરાવતા લોકો પણ કરોડપતિ છે. આ ખુલાસા પછી તો એમ પણ માની શકાય કે સોસાયટીમાં શાકભાજી વહેચવા આવતા પણ કરોડપતિ હશે. કારણકે ઇન્કમ ટેક્સ વિભાગે ઘણા એવા કરોડપતિઓના નામ જાણ્યા જે સેંકડો વીઘા જમીનના માલિક છે.
GST કે INCOME TAX સાથે કઈ પણ લેવા દેવા નથી
તમે એક સામાન્ય માણસ છો અને તમારી પાસે કાર પણ નથી. સાથે જ આ કોરોના કાળમાં ઘરના EMI પણ ભરવામાં તમને તકલીફ પડશે. પણ કાનપૂરમાં એક ભંગારનો ધંધો કરતાં વ્યક્તિ પાસે પણ ત્રણ ત્રણ કાર છે. સાથે જ આવા વ્યક્તિઓને દૂર દૂર સુધી GST કે INCOME TAX સાથે કઈ પણ લેવા દેવા નથી હોતા. સાથે જ એક ભંગાર વાળાએ છેલ્લા 2 વર્ષમાં ત્રણ પ્રોપર્ટી ખરીધી. જેની કિંમત દસ દસ કરોડથી પણ વધુ છે.