આ યોજનાઓમાં રોકાણ કરવા માટે હવે આધાર અને પાન નંબર ફરજિયાત કરવામાં આવ્યુ સાથે સરકારે એપ્રિલ-જૂન 2023 ત્રિમાસિક માટે બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો..વાંચો સંપૂર્ણ વિગત
નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આધાર અને પાન નંબર ફરજિયાત કરવામાં આવ્યો
સરકારે એપ્રિલ-જૂન 2023 ત્રિમાસિક માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો
સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આધાર અને પાન નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે. આ વિના, કોઈ પણ અન્ય નાની બચત યોજનાઓ જેવી કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), મહિલા સન્માન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ ફેરફાર નાની બચત યોજના માટે યોર કસ્ટમર (KYC)ડિટેલ્સના રૂપમાં લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નાની બચત યોજનાઓમાં આધાર નંબર સબમિટ કર્યા વિના રોકાણ કરવાની છૂટ હતી.
આ કાર્યો માટે આધાર કાર્ડ જરુરી
નાણા મંત્રાલયે કહ્યું કે રોકાણકારોએ કોઈપણ રોકાણ કરવા માટે ઓછામાં ઓછો આધારનો એનરોલમેન્ટ નંબર આપવો જરૂરી છે. આ ઉપરાંત તે સમયે એક નિશ્ચિત મર્યાદાથી વધુ રોકાણ પર પાન નંબર પણ સબમિટ કરવો પડશે. પોસ્ટ ઓફિસ યોજનામાં ખાતું ખોલાવતી વખતે અથવા કોઈપણ યોજના માટે નોંધણી કરતી વખતે, જો વ્યક્તિ પાસે આધાર નંબર ન હોય તો, આધારના નોંધણી નંબરની રસીદ સબમિટ કરવાની રહેશે.
31 સપ્ટેમ્બર સુધી કરવુ પડશે આ કામ
હવેથી નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આધાર નંબર અથવા એનરોલમેન્ટ નંબર, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી રહેશે. જેમણે સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં આધાર અને PAN વગર રોકાણ કર્યું છે તેઓ તેને 31 સપ્ટેમ્બર 2023 સુધીમાં જમા કરાવી શકે છે. નહીંતો 1 ઓક્ટોબર, 2023થી તેઓનું ખાતું બંધ થઈ જશે.
પાન કાર્ડ જમા કરાવું
નાણા મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ ખાતું ખોલાવતી વખતે પાન કાર્ડની વિગતો આપવી પડશે. જો ખાતું ખોલાવતી વખતે PAN સબમિટ ન કર્યું હોય, તો તેને ખાતું ખોલ્યાના બે મહિનામાં સબમિટ કરવું પડશે. જો ખાતામાં કોઈપણ સમયે બેલેન્સ રૂ. 50,000 થી વધુ હોય અથવા ખાતામાં તમામ ક્રેડિટ કોઈપણ નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખથી વધુ હોય, તો પાન કાર્ડની માહિતી આપવી પડશે. પૈસા ઉપાડવા માટે પણ પાન કાર્ડની જરુર પડશે.
આ અગાઉ જો કોઇ રોકાણકાર પાસે રોકાણના સમયે પાન અથવા આધાર નંબર રહેતો ના હતો, તો તે વીજળીનું બિલ જેવા અન્ય ડોક્યુમેન્ટ દ્વારા પોતાનું કામ પુરુ કરી લેતો હતો. પરંતુ હવે આધાર અને પાન કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યુ છે.
સરકારે વ્યાજદરમાં કર્યો વધારો
સરકારે એપ્રિલ-જૂન 2023 ત્રિમાસિક માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટ્સ (BPS)નો વધારો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વરિષ્ઠ નાગરિક યોજના, માસિક આવક યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.