PAN કાર્ડ ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. PAN કાર્ડ એક વખત બનાવવા પર આજીવન માન્ય રાખવામાં આવે છે ભલે ને ગમે એટલી વખત એડ્રેસ કેમ બદલવામાં ના આવે. આયકર વિભાગ દ્વારા ઘણા આર્થિક લેવડદેવડ પર PAN કાર્ડને અનિવાર્ય કરી દેવામાં આવે છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તેના બદલામાં ફોર્મ 60 આપવાનું રહેશે. તમને જણાવીએ કયા- કયા ટ્રાન્ઝેક્શન માટે PAN કાર્ડ જરૂરી છે.
- કોઈ પણ બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે PAN કાર્ડને જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે.
- એક દિવસમાં જો તમે 50 હજાર રૂપિયા કરતાં વધારે બેંક ડ્રાફ્ટ, પેમેન્ટ ઓર્ડર અથવા બેંકરનો ચેક રોકડમાં ખરીદો છો તો તમારે તમારું PAN કાર્ડ બતાવવું જરૂરી છે.
- જો બેંકમાં તમારા ટાઈમ ડિપોજિટની રકમ 50 હજાર રૂપિયા કરતા વધારે હોય ત્યારે આ સ્થિતિમાં PAN કાર્ડ હોવું આવશ્યક છે.
- પોસ્ટ ઓફિસમાં કોઈ પણ પ્રકારના અકાઉન્ટની રકમ જો 50 હજાર રૂપિયા કરતાં વધારે થતી હોય તો તેના માટે પણ જરૂરી છે. એક લાખ રૂપિયા અથવા તેનાથી વધારે કિંમતની વસ્તુની ખરીદી અથવા વેચાણ માટે કરવામાં આવતા કોન્ટ્રાક્ટમાં તેનો ઉપયોગ થાય છે.
- શેરની ખરીદી માટે કોઈ કંપનીને 50000 રૂપિયા અથવા તેનાથી વધુ ચુકવણી પર PAN કાર્ડ આવશ્યક છે.
- પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતની સ્થાવર મિલકત ખરીદવા અથવા વેચવા માટે PAN કાર્ડની જરૂર પડે છે.
- બુલિયન અથવા જ્વેલરીની ખરીદી માટે પાંચ લાખ રૂપિયા કરતા વધુની ચૂકવણી પર PAN કાર્ડ જરૂરી છે.
- બોન્ડ અથવા ડિબેંચરની ખરીદી માટે કોઈ કંપની અથવા સંસ્થાને 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધુની ચૂકણવી પર પણ PAN કાર્ડ જરૂરી છે.
- વાહનનું વેચાણ અથવા ખરીદી પર પણ PAN કાર્ડ જરૂરી હોય છે. ટૂ વ્હીલરની ખરીદી અથવા વેચાણ માટે PAN કાર્ડની જરૂર નથી પડતી. ટૂ વ્હીલર સિવાય અન્ય વાહનની ખરીદી વેચાણ માટે પણ જરૂરી છે.
- ટેલિફોન કનેક્શન લગાવવા માટે અરજી ભરતી વખતે પાનકાર્ડ જરૂરી છે.
- જો હોટેલમાં તમારા એક દિવસનો ખર્ચ 25 હજાર રૂપિયા કરતાં વધુ હોય તો PAN કાર્ડની આવશ્યક છે
- વિદેશ યાત્રા કરવા માટે જો તમે 25 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે કિંમતની ટિકિટ રોકડમાં ખરીદી રહ્યા હો તો તે સમયે તમારે PAN કાર્ડ બતાવવું જરૂરી છે.
PAN કાર્ડ નથી તો શું કરશો?
- જો તમારી પાસે PAN કાર્ડ નથી તો આયકર વિભાગના નિયમો અનુસાર, તમે ઉપરોક્ત લેવડદેવડ માટે ફોર્મ 60 આપી શકો છો. જેમાં લખવામાં આવ્યુ હોય છે કે, તમારી પાસે PAN કાર્ડ નથી અને તમારી આવક ટેક્સબલ થાય એટલી નથી.
- 1 સપ્ટેમ્બર 2019થી આયકર વિભાગ દ્વારા PAN કાર્ડ ધારકોને અનુમતિ આપી દીધી છે કે જો તેમની પાસે PAN નથી તો તેઓ આધાર નંબર આપી શકે છે, તેનો ઉપયોગ માત્ર આયકર રિર્ટન માંજ નહી ઉપર આપેલા તમામ લેવડદેવડમાં થઇ શકે છે, પરંતુ આ માટે આધાર-PAN લિંક હોવું જરૂરી છે.