જો તમે નિયોક્તા કે કંપનીને PAN અને Aadhaarની ડિટેલ્સ આપવાથી બચો છો તો તમારે તેની મોટી કિંમત ચૂકવવી પડે તે શક્ય છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નવા નિયમોના આધારે જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો તમારે પોતાના ઈનકમ ટેક્સનો 20 ટકા ભાગ ટેક્સના રૂપમાં ચૂકવવો પડી શકે છે.
ઈનકમ ટેક્સના આ સ્લેબમાં બદલાઈ ગયો નિયમ
CBDTનો નવો નિયમ આ રીતે થશે લાગૂ
16 જાન્યુઆરી 2020થી લાગૂ થયો છે આ નિયમ
16 જાન્યુઆરીથી લાગૂ થયેલા સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે નવા નિયમ એ દરેક લોકો પર લાગૂ થશે, જેની વાર્ષિક કમાણી 2.5 લાખ રૂપિયાથી વધારે છે.
ટેક્સ ડિડક્શને માટે પાન કે આધારની ડિટેલ્સ નહીં આપવાથી થશે નુકસાન
CBDTના સર્ક્યુલરમાં કહેવાયું છે કે કોઈ કર્મચારી પોતાના નિયોક્તા કે કંપનીને ટેક્સ ડિડક્શને માટે પાન કે આધારની ડિટેલ્સ નહીં આપે તો તેણે પોતાની ઈનકમનો 20 ટકા ટેક્સમાં આપવાનો રહેશે. ઈનકમ ટેક્સ એક્ટની કલમ 206AAને આધારે તેને અનિવાર્ય કરવામાં આવ્યું છે. 20 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે તો 4 ટકા સ્વાસ્થ્ય અને શિક્ષામાં કપાત કરવાની જરૂર રહેશે નહીં. જ્યારે તમારી વાર્ષિક કમાણી 2.5 લાખ રૂપિયાથી ઓછી હશે તો કોઈ ટેક્સ લાગશે નહીં.
શું હોય છે ટીડીએસ?
જો કોઈ વ્યક્તિને આવક હોય છે તો તે આવકથી ટેક્સ કાપીને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સના રૂપમાં કપાયેલી રકમને ટીડીએસ કહેવામાં આવે છે. ઈનકમ ટેક્સથી ટીડીએસ વધારે હોય તો રિફંડ ક્લેમ કરવામાં આવે છે અને સાથે તે ઓછો હોય તો એડવાન્સ ટેક્સ કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાનો રહે છે.
ટીડીએસ દરેક આવક કે લેનદેન પર લાગૂ પડતો નથી. આવકવેરા કાયદા અનુસાર ટીડીએસના અલગ અલગ રેટ છે, આ ભુગતાનની પ્રક્રિયા પર નિર્ભર કરે છે. સરકારે રોકાણને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવાના ઉદ્દેશ્યથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. તેનાથી સરકારી ખજાના પર 1.40 લાખ કરોડ રૂપિયાથી વધારે ભાર પડે તેવી પણ શંકા છે.