ઉત્તર પ્રદેશના આગ્રા અને હરિયાણાના પલપલ અને ફરિદાબાદથી દિલ્હી આવતા જતા લોકોના ખિસ્સા પર બોઝો વધશે. કેમ કે સોમવારે અડધી રાતે ટોલ ટેક્સમાં વૃદ્ધિ કરવામાં આવી રહી છે. તેવામાં ટ્રાવેલ કરનારાઓમાં પહેલાથી વધારે ટેક્સ આપવો પડશે. જાણકારી મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસિક ટોલ ટેક્સમાં 13થી 29 રુપિયા સુધીનો વધારો કર્યો છે. 31 ઓગસ્ટની અડધી રાત બાદથી બદરપુર ફ્લાઈઓવર થઈને દિલ્હી આવતા જતા વાહનોને વધેલો ટોલ ટેક્સ આપવો પડશે.
NHAIએ માસિક ટોલ ટેક્સમાં 13થી 29 રુપિયા સુધીનો વધારો કર્યો છે
31 ઓગસ્ટે અડધી રાતથી 1 રુપિયાથી વધારે ટોલ આપવો પડશે
મીડિયા રિપોર્ટ મુજબ એનએચએઆઈના ડેપ્યુટી જનરલ મેનેજર સચિનકુમારે જણાવ્યું કે એનએચએઆઈ દર વર્ષે ઓગસ્ટમાં ટોલ રેટમાં સંશોધન કરે છે. સચિન કુમારના જણાવ્યાનુંસાર ટોલ ટેક્સ વધતા પહેલા દર વર્ષે સરકાર તરફથી ગાઈડલાઈન આવે છે. તેના આધારે દરોમાં વૃદ્ધિ કરવામાં આવે છે.
ત્યારે આગ્રા, પલવલ અને ફરીદાબાદથી દિલ્હી તરફ બદરપુર ફ્લાઈઓવરથી આવનજાવન કરતા લોકોને 31 ઓગસ્ટે અડધી રાતથી 1 રુપિયાથી વધારે ટોલ આપવો પડશે. ખાસ કરીને કાર, જીપ વેન અને લાઈટ મોટર વ્હીકલને સિંગલ ટ્રિપ માટે 26, મલ્ટીપલ ટ્રિપ માટે 40 અને મંથલી પાસ માચે 793 રુ. ખર્ચવા પડશે. એજ રીતી લાઈટ, કમર્શીયલ વ્હીકલ, લાઈડ ગુડ્સ વ્હીકલ તથા મીની બસને સિંગલ ટ્રિપ માટે 40, મલ્ટીપલ ટ્રિપ માટે 59 અને મંથલી પાસ માટે 1190 રુ ચુકવવા પડશે. ટ્ર્ક, બસ, મલ્ટીએક્સલ વ્હીકલને સિંગલ ટ્રિપ માટે 79, મલ્ટીપલ ટ્રિપ માટે 119 તથા માસિક પાસ માટે 2380 રુ. ચુકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે પહેલા હળવા વાહનોને સિંગલ ટ્રિપ માટે 26 અને મલ્ટીપલ ટ્રિપ માટે 39 આપવા પડતા હતા. ત્યારે માસિક પાસ 780 રુ હતા. સાથે હળવા કર્મશિયલ વાહનો માટે સિંગલ ટ્રિપ 39 જ્યારે મંથલી પાસ 1170 હતા. તેમજ હેવી વાહનો માટે સિંગર ટ્રિપ 78 અને મલ્ટીપલ ટ્રિપ 117 રુપિયા હતા. માસિક પાસ 2341 રુ આપવા પડતા હતા.