ઔરંગાબાદમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી લીધી.
એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી
ઘટના બાદ પરિવારમાં શોક વ્યાપી ગયો
પતિ-પત્નીએ ફાંસી લગાવી, 3 બાળકોને ઝેર આપવામાં આવ્યું
એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી
હરિયાણામાં પલવલ જિલ્લાના ગામ ઔરંગાબાદમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી લીધી. ઘટનાની સૂચના બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલાની જાણકારી આપી. પોલીસે મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે પલવલના સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ મોકલ્યા છે. ત્યારે આ ઘટના બાદ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ત્યારે વિસ્તારમાં ગમગીન માહોલ વ્યક્ત થઈ ગયો.
પતિ-પત્નીએ ફાંસી લગાવી, 3 બાળકોને ઝેર આપવામાં આવ્યું
મનાઈ રહ્યું છે કે પતિ- પત્નીની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું. બુધવારે સવારે પાંચેયની બોડી પરિવારના મોભીને સોંપી દેવામાં આવ્યો છે. તેમણે મામલાની સૂચના પોલીસને આપવામાં આવી. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને મામલાની તપાસમાં પણ જોડાઈ ગઈ. મૃતકોમાં પતિ-પત્ની અને 3 બાળકો સામેલ છે. પતિ-પત્નીએ ફાંસી લગાવી છે અને બાળકોને ઝેર આપવામાં આવ્યું છે.