હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં ઘણી રેખાઓ અને ઘણા પ્રકારના નિશાન બનેલા હોય છે. આ નિશાન વ્યક્તિના ભવિષ્ય વિશે સંકેત આપે છે.
ઈશ્વરની રહે છે કૃપા
પ્રસિદ્ધિ મળવાના છે સંકેત
હથેળીમાં Vનું નિશાન હોય છે ખાસ
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીના વિવિધ પર્વત, રેખાઓ અને ચિન્હોનો અભ્યાસ કરવામાં આવે છે. જોકે સામાન્ય રીતે માનવામાં આવે છે કે કર્મો અનુસાર હથેળીની રેખાઓ બદલાતી રહે છે. સાથે જ આ રેખાઓ ભૂત, ભવિષ્ય વર્તમાન અને વ્યક્તિત્વને દર્શાવે છે. દરેક વ્યક્તિની હથેળીમાં રેખાઓને મળાવીને ઘણા અક્ષર બને છે.
જે રીતે હથેળીની રેખાઓ ખાસ સંકેત આપે છે તેવી જ રીતે હથેળીના અક્ષરો પણ ખાસ મતલબ દર્શાવે છે. આવો જાણીએ હથેળીમાં બનતા અંગ્રેજીના V અક્ષર વિશે.
હથેળીમાં Vનું નિશાન આપે છે ખાસ સંકેત
હસ્તરેખા શાસ્ત્રમાં હાથની હૃદય રેખાનું ખાસ મહત્વ છે. આ રેખાથી મળીને બનતો અંગ્રેજીનો V અક્ષર એ વાતનો સંકેત આપે છે કે વ્યક્તિના જીવનમાં ખૂબ પ્રસિદ્ધી છે. સાથે જ આવા જાતકોને કિસ્મતનો પણ સાથ મળશે. આ ઉપરાંત એવા લોકો જે પણ કામ કરે છે તેમાં ખૂબ સફળતા મળશે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં બનતા Vના નિશાન એ વાતને દર્શાવે છે કે મહેનતનું સારૂ પરિણામ મળશે. સાથે જ મનુષ્ય પોતાની મહેનતથી કિસ્મત બદલી શકે છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો હૃદય રેખાથી નિકળતી કોઈ રેખા તર્જની અને મધ્ય આંગળીની વચ્ચે V નિશાન બનાવે છે તો વ્યક્તિ વ્યાપારમાં ખૂબ તરક્કી કરે છે. સાથે જ આવા લોકો વ્યાપારથી ખૂબ ધન પ્રાપ્તિ કરે છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળીમાં Vનું નિશાન બને છે તેના જીવનમાં ધન-સંપત્તિની કમી નથી રહેતી. સાથે જ આવા લોકોને ચારે બાજુથી ધન આવે છે. આટલું જ નહીં, આવા લોકોને ઈશ્વરનો પણ આશીર્વાદ મળે છે.