જ્યોતિષ શાસ્ત્રની જેમ હસ્તરેખા શાસ્ત્ર પણ ભવિષ્ય સાથે જોડાયેલી બધી મહત્વની ઘટનાઓ અંગે જણાવે છે. જેના માટે હાથની રેખા, નિશાનો અને આકૃતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. જેના પરથી જાણી શકાય છે કે ક્યારે માણસનો ભાગ્યોદય થશે. તેને આર્થિક નુકસાન થશે કે ફાયદો થશે.
હસ્તરેખા શાસ્ત્ર ભવિષ્યની આપે છે માહિતી
હાથની રેખા, નિશાનો અને આકૃતિઓનો કરાય છે અભ્યાસ
અભ્યાસ દ્વારા જાણી શકાય કે માણસને નુકસાન થશે કે ફાયદો
તો તમારે કોઈ બિમારીનો સામનો કરવો પડે !
માણસને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના અથવા બિમારીનો સામનો કરવો પડશે અથવા તે લાંબુ અને આરોગ્યપ્રદ જીવન જીવશે. આજે અમે હસ્તરેખા શાસ્ત્ર દ્વારા અમુક આવી મહત્વની જાણકારી અંગે જણાવીશું.
જોખમભર્યા છે આ સંકેત
જો હથેળીના શનિ પર્વત પર ગોળ નિશાન છે, તો આ સ્થિતિ સારી માનવામાં આવતી નથી. આ જાતકની નોકરીમાં મુશ્કેલી લાવે છે. ઘણી વખત તો આ કારકિર્દી પર મોટા જોખમનું કારણ બની શકે છે. એવામાં સારું છે, પહેલા ગ્રહ શાંતિના ઉપાય કરી લો.
જો હાથમાં જીવન રેખા અને સ્વાસ્થ્ય રેખા એકસાથે મળી જાય તો આ ખૂબ અશુભ હોય છે. આવા જાતકોને કોઈ ગંભીર બિમારી થવાનુ જોખમ રહે છે. તેમને આરોગ્ય સંબંધી નાની સમસ્યાઓનું પણ ધ્યાન રાખવુ જોઈએ.
આ રીતે હથેળીના મધ્યમાં ક્રોસનું ચિન્હ હોય તો દેવાદાર બનવાની નોબત આવી શકે છે.
વિવાહ રેખા પર દ્વીપનું ચિન્હ હોવુ લગ્ન અને લવ લાઈફમાં મુશ્કેલીઓ લાવે છે.