હસ્તરેખાશાસ્ત્રમાં કરિયર, નોકરી ઉપરાંત પ્રેમ સંબંધો પણ જણાવવામાં આવ્યા છે. શુક્રની વલય રેખા પ્રેમ જીવન અને દાંપત્ય જીવન દર્શાવે છે.
હસ્તરેખા જણાવશે લવ લાઇફ
શુક્ર વલય રેખા જણાવે છે પ્રેમસંબંધ વિશે
શુક્ર વલયનો યોગ બને તો પ્રેમસંબંધ અસફળ બને
આમ તો મહેનતુ લોકોને ભાગ્ય સાથ આપે છે પરંતુ ઘણી વખતે ઘણી મહેનત કરવા છતાં પણ કિસ્મત સાથ આપતી નથી. એવુ કહેવાય છે કે વ્યક્તિને સમયની પહેલા અને ભાગ્ય કરતા વધારે કંઇ જ મળતુ નથી. પ્રેમ સંબંધમાં પણ આવુ જ છે. ત્યારે હસ્તરેખામાં પણ એવી રેખાઓ છે જેના પરથી પ્રેમસંબંધ વિશે જાણી શકાય છે.
શુક્રની વલય રેખા જણાવશે લવ લાઇફ
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ રેખા તર્જની આંગળીથી શરૂ થાય છે અને શનિ અને સૂર્ય પર્વતને ઘેરીને અનામિકા અને સૌથી નાની આંગળીની વચ્ચે સમાપ્ત થાય છે, ત્યારે તેને વલય કહેવામાં આવે છે. જે વ્યક્તિની હથેળીમાં શુક્રના વલયનો યોગ બનતો હોય તેવા લોકોને સાચો પ્રેમ ક્યારેય મળતો નથી.
જે વ્યક્તિની હથેળીમાં શુક્રની વલય પાતળી હોય છે, તે બુદ્ધિમાન અને હિંમતવાન માનવામાં આવે છે, પરંતુ આવા લોકો પ્રેમના મામલામાં પરાજય પામે છે. આ સિવાય જો શુક્ર વલય રેખાને લગ્ન રેખા કાપે તો આવામાં વ્યક્તિને વૈવાહિક જીવન મળતુ નથી.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો શુક્રની વલય રેખા અન્ય રેખાઓ સાથે મળીને ખૂબ જ ઊંડી થઈ જાય છે તો આવા લોકો જીવનમાં ઘણી વખત લગ્નેતર સંબંધો બનાવે છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો શુક્ર વલય રેખા પર દ્વિપનું નિશાન બને તો આવા સમયે વ્યક્તિનું જીવનસાથી તેની વિરુદ્ધ ષડયંત્ર રચે છે અને તેના કારણે તે વ્યક્તિનું જીવન પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આ સિવાય જો સૂર્ય રેખા શુક્રની વલય રેખાને કાપે તો આવા લોકોને બુદ્ધિહીન માનવામાં આવે છે.