તમારી ચડતી અને પડતી નક્કી કરવામાં હથેળીની આ રેખાઓ છે મહત્વની. હથેળીમાં કેટલાક નિશાન સૂચવે છે મહત્વની વાત..જુઓ તમારી હથેળીમાં છે આવું નિશાન ?
હથેળીમાં હોય આ ચિન્હો હોય છે શુભ
રાજવી અને વૈભવી લાઇફ જીવે છે આવા લોકો
સ્વસ્તિક અને ત્રિકોણનું ચિન્હ ગણાય છે શુભ
જ્યોતિષ શાસ્ત્રની જેમ હસ્તરેખા શાસ્ત્રમાં પણ કેટલીક વાતો વિશેષ મહત્વ ધરાવે છે. તમારી હથેળીમાં રહેલી કેટલીક રેખાઓ તથા કેટલાક આકાર આપણેને સંકેત આપે છે. કેટલાક નિશાન અશુભ તો કેટલાક શુભ સંકેતો આપે છે. આ નિશાન પરથી તમારા જીવનમાં ચડતી આવશે કે પડતી તે જાણી શકાય છે. કેટલાક ચિન્હો એવા હોય છે જેનાથી વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ત્યારે આવો જાણીએ કયા છે આ ચિન્હો.
હથેળીમાં આ ચિન્હો ગણાય છે શુભ
હસ્તરેખા શાસ્ત્રના હથેલીમાં સ્વાસ્તિક જેવું ચિન્હ શુભ માનવામાં આવે છે. જે લોકોના હાથમાં સ્વસ્તિક જેવું ચિન્હ હોય છે તેઓના જીવનમાં અખૂટ ધન, સમાજમાં પ્રતિષ્ઠા અને તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થાય છે.
હાથમાં શંખ જેવુ ચિન્હ શુભ ગણાય છે. આ નિશાન ધરાવતી વ્યક્તિ દરિયાઇ યાત્રા કરવાના યોગ ધરાવે છે. તેમજ વિદેશ યાત્રાના યોગ પણ હોય છે.
જો હાથમાં ત્રિકોણનું ચિહ્ન હોય તો વ્યક્તિ મોટી સંપત્તિનો માલિક હોય છે. આવા લોકોને ધન લાભની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ મળે છે. આ સિવાય પદ્મનું નિશાન વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા અપાવે છે. વળી, આવા લોકો રાજા જેવું જીવન જીવે છે. તેમને તમામ સુવિધાઓ મળે છે.
હથેળીમાં ષટ્કોણનું ચિહ્ન વ્યક્તિને ધનવાન અને અનેક ગુણોનો માલિક બનાવે છે. તેમજ ચક્રની નિશાની વ્યક્તિને સમૃદ્ધ અને ધનવાન બનાવે છે.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીમાં તલવારનું નિશાન ખૂબ જ શુભ હોય છે. આ નિશાની સૂચવે છે કે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ નસીબદાર બનશે.
જો હથેળીમાં છત્રીનું નિશાન હોય તો વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે.
હથેળીમાં માછલીનું નિશાન ધરાવનાર વ્યક્તિઓને હંમેશા કિસ્મતનો સાથ મળે છે.