હથેળી પર ઘણી પ્રકારની રેખાઓ બનેલી હોય છે જેનું પોતાનું મહત્વ હોય છે. હથેળી પર ભાગ્ય રેખા, જીવન રેખા, વિવાહ રેખો, સંતાન રેખા અને રોગ સંબંધી રેખાઓ બનેલી હોય છે. આવો જાણીએ હથેળી પર ક્યાં અને કેવા પ્રકારના નિશાનથી જાણકારી મળે છે કે વ્યક્તિને કઈ બીમારી છે અને ભવિષ્યમાં થવાની સંભાવના છે.
હથેળી પર હોય છે અનેક પ્રકારની રેખાઓ
હથેળીની રેખાથી ખબર પડે છે બિમારી વિશે
જાણો ભવિષ્યમાં કઈ બિમારી થઈ શકે છે
જે પ્રકારે કોઈ વ્યક્તિની કુંડળીનું અધ્યયન કરવાથી તેના જીવન સંબંધિ ઘણી ભવિષ્યની વાતો વિશે જાણકારી મળી શકે છે તેવી જ રીતે હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી વ્યક્તિના ભાગ્ય અને ભવિષ્ય સહિત અન્ય પાસા વિશે પણ જાણી શકાય છે. હથેળી પર ઘણા પ્રકારની રેખાઓ બનેલી હોય છે જેનું પોતાનું મહત્વ હોય છે.
હથેળી પર ભાગ્ય રેખા, જીવન રેખા, ધન રેખા, વિવાહ રેખા, સંતાન રેખા અને રોગ સંબંધી રેખાઓ બનેલી હોય છે. આજે અમે તમને હથેળી પર બનતી એવી રેખાઓ અને નિશાન વિશે જણાવી રહ્યા છીએ જેનાથી એવું જાણી શકાય છે કે વ્યક્તિને જીવનમાં ક્યારે અને કેવી રીતે રોગ વધારે પરેશાન કરી શકે છે. આવો જાણીએ હથેળી પર ક્યાં અને કેવા પ્રકારના નિશાનથી ખબર પડે છે કે વ્યક્તિને કઈ બીમારી છે અથવા ભવિષ્યમાં થવાની સંભાવના છે.
હથેળી પર મસ્તિષ્ક સંબંધી બીમારીઓની રેખાઓ
હસ્તરેખા જ્યોતિષના અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળી પર જ્યાં ચંદ્ર પર્વતના ઉપર ક્રોસનું નિશાન બન્યું હોય અને કોઈ રેખા મસ્તિષ્ક નીચેની તરફથી પસાર થાય તો મસ્તિષ્ક સંબંધી બીમારીઓ થવાની સંભાવના વધારે થાય છે. તેના ઉપરાંત જો કોઈ વ્યક્તિની હથેળી પર ગુરૂ અને શનિ પર્વત ખૂબ દબાયેલો હોય તો મષ્તિક સંબંધી બીમારીઓ થઈ શકે છે.
હથેળી પર હૃદય રોગથી સંબંધિક રેખાઓ
હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળી પર જ્યાં હૃદય રેખા રહેલી છે અને આ રેખાઓ એકબીજા સાથે વચ્ચે-વચ્ચે મળી જાય છે અથવા તે રેખા શનિ પર્વત પર પહોંચી જાય તો વ્યક્તિને હૃદયથી સંબંધિત રોગ પરેશાન કરી શકે છે.
આંતરડા સંબંધિત રોગોની રેખાઓ
હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની હથેળીનો રંગ પીળો હોય અથવા આંગળીઓના નખનો રંગ પીળો હોય અને તેના પર ધબ્બા વધારે હોય અથવા બુધ કેખા હથેળી પર કપાયેલી હોય તો વ્યક્તિના આંતરડા સાથે સંબંધિત બિમારીઓ થવાની સંભાવના સૌથી વધારે હોય છે.
કિડની રોગ અને હથેળીની રેખાઓ
જો કોઈ વ્યક્તિની હથેળી પર બનેલી મસ્તિષ્ક રેખાની પાસે મંગળ પર્વત પર કોઈ નાનું ગોળ નિશાન જોવા મળે અને હૃદય રેખા તૂટેલી હોય તો વ્યક્તિને કિડનીથી સંબંધિત બીમારીઓ થવાની સંભાવના થાય છે.
ગુપ્ત રોગથી સંબંધિત રેખાઓ
હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની હથેળી પર બનેલા મંગળ પર્વતના ઉપર કોઈ હલ્કી-હલ્કી રેખાઓ રહેલી હોય તો વ્યક્તિને ગુપ્ત સંબંધિ રોગ થવાની સંભાવના વધારે હોય છે.
આકસ્મિક દુર્ઘટના થવાના સંકેત
હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની હથેળી પર સ્વાસ્થ્ય રેખા પર કોઈ ક્રોસનું નિશાન બનેલું હોય છે તો તે શુભ નથી માનવામાં આવતું. આ પ્રકારના નિશાન બનવા પર વ્યક્તિની સાથે આકસ્મિત દુર્ઘટના થવાની સંભાવના વધારે થાય છે એવામાં વધારે સાવધાની રાખવાની જરૂર છે.