હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો અંગે જાણકારી આપવામાં આવી છે. પોતાના હાથમાં રહેલ અલગ-અલગ રેખાઓ અને પર્વતની મદદથી તમે આ જાણકારી મેળવી શકો છો કે તમે કયા ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવી શકો છો. તો આવો જાણીએ હાથમાં સ્થિત અલગ-અલગ પર્વતો પરથી તમારી કારકિર્દી અંગે જાણકારી.
તમે કયા ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવી શકશો?
હસ્તરેખા શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
હાથમાં રહેલા અલગ-અલગ પર્વતો પરથી કારકિર્દી અંગે મેળવો જાણકારી
જાણો, હાથની રેખાઓ દ્વારા ભવિષ્ય
હસ્તરેખા શાસ્ત્રમાં હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઘણી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. જો તમે તમારા કારકિર્દીને લઇને ચિંતામાં રહો છો કે કયા ક્ષેત્રમાં તમે પોતાનુ સારું પ્રદર્શન કરી શકશો. કયા ક્ષેત્રમાં જવાથી તમારે વધુ સંઘર્ષ કરવો પડશે. આ પ્રકારના સવાલના જવાબ આવો જાણીએ હાથમાં રહેલ અલગ-અલગ પર્વત અને નિશાનીઓની મદદથી.
હાથમાં ગુરૂ પર્વત ઊંચો હોવો
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, જે વ્યક્તિના હાથમાં ઊંચો ગુરૂ પર્વત હોય છે, એવા લોકો સરકારી નોકરી અને શિક્ષણ, મેડિકલ, મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરે છે. મહત્વનું છે કે તર્જની આંગળીની બરોબર નીચે ગુરૂ પર્વત હોય છે.
હાથમાં શનિ પર્વતનો ઉદય
હસ્તરેખા વિજ્ઞાન મુજબ, મધ્યમ આંગળીની નીચે શનિ પર્વત રહેલો હોય છે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત ઉભો થયો હોય છે. એવા લોકોને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકો જો કોન્ટ્રાક્ટર સંબંધિત કામ કરે છે તો તેઓ સફળતા મેળવવામાં સફળ થશે.
હાથમાં સૂર્ય પર્વત ઊંચો હોવો
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, વ્યક્તિના હાથમાં છેલ્લી આંગળીની નીચે સૂર્ય પર્વત રહેલો હોય છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં સૂર્ય હોય છે અને તે આવો વ્યક્તિ છે, તે મેડિકલ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે.