હસ્તરેખા જ્યોતિષમાં હથેળીની રેખાઓ અને તેના પર બનેલ અલગ-અલગ નિશાનીઓથી ભવિષ્યની વાતો અંગેની જાણકારી મળે છે. કોઇપણ વ્યક્તિની હથેળી જોઇને એ જાણી શકાય છે કે ક્યારે ધનલાભ થશે અને કેટલા પ્રમાણમાં ધનલાભ થશે.
જો કોઇના હાથમાં જીવનરેખાની સાથ મંગળ રેખા છેલ્લે સુધી જઇ રહી હોય અને હાથ ભારે હોય તો વ્યક્તિની પૈતૃક્ત સંપત્તિથી કરોડોનો લાભ થાય છે. તેની સાથે જીવનમાં હંમેશા તેમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે.
જો હથેળીમાં ભાગ્યરેખા એકથી વધારે હોય આંગળીનો આધાર બરાબર હોય તો વ્યક્તિને ધન મળવાની શક્યતા વધી જાય છે. જેના કારણતે કરોડપતિ બની જાય છે. હથેળીમાં ભાગ્યરેખા મોટીથી પાતળી આંગળીઓ સીધી શનિ ગ્રહ વધારે ઊંચો જીવન રેખા ગોળ અને મસ્તિષ્ક રેખા મંગળથી મંગળ ગ્રહ સુધી જાય તો બિઝનેશથી વધારે નાણાં પ્રાપ્ત કરી શકાય છે. જેના કારણે આ લોકોની ગણતરી કરોડપતિઓમાં થાય છે.
જો સુર્ય રેખા દોષ રહિત હોય અને સંખ્યા એકથી વધારે હોય શનિ અને સુર્યની આંગળી સીધી અને બરાબર હોય અથવા તો ભાગ્યરેખા મણિબંધથીથી નિકળીને શનિ પર જાય તો આવા લોકો નક્કી કરોડપતિ થતા હોય છે.
આપને જણાવી દઇએ કે ચંદ્રમાની તરફ નિર્દોષ ભાગ્ય રેખા મળે જ્યાં સુધી કોઇ દોષ ના હોય ભાગ્યરેખા સીધા જ શનિ ગ્રહની નીચે પુરી થાય તો વ્યક્તિએ કોઇ બીજા વ્યક્તિ પાસેથી ધન લેવાનો સમય આવી શકે છે.