હસ્તરેખા જ્યોતિષમાં લોકોના હાથની રેખા અને નિશાન જોઇને એમના ભવિષ્ય માટે ઘણી વાતો જાણી શકાય છે. હથેળી પર ઘણા નિશાન હોય છે એ નિશાનોમાંથી એક નિશાન એવું હોય છે જે હજાર લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં બનેલું હોય છે. એ નિશાન હોય છે ત્રિશૂળ. તો ચલો જાણીએ હથેળી પર કઇ કઇ જગ્યાએ બનેલા ત્રિશૂળના નિશાનનો અર્થ શું હોય છે.
જો હૃદય રેખાની ટોચ પર ગુરુ પર્વતની નજીક ત્રિશૂળનું નિશાન હોય એવો વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે.
સૂર્ય રેખા પર ત્રિશૂળનું નિશાન હોવા પર ઉચ્ચ પદ અને સરકારી ક્ષએત્રની પ્રાપ્તિ થાય છે. ત્રિશૂળના ચિન્હ સાથે અન્ય રેખાઓ હોવા પર પરિણામ વિપરિત થશે.
જો આ ચિન્હ ભાગ્ય રેખા પર હોય તો એ વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અને એને તમામ સુખોની પ્રાપ્તિ થાય છે.
જેના હાથની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચક્રનું ચિહ્ન હોય તો એ ચક્રવર્તી હોય છે.