હાથમાં ધનરેખા હોવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત અમુક એવી ખાસ રેખાઓ છે, જે જાતકને કરોડપતિ બનાવે છે.
હથેળીમાં આ રેખા હશે તો વ્યક્તિ અવશ્ય બનશે કરોડપતિ
વ્યક્તિ વહેલા નહીં તો મોડા પણ બનશે કરોડપતિ
એક વખત ચેક કરી લેજો તમારા હાથમાં તો આ રેખા નથી ને?
જાતકના હાથમાં આ રેખાઓ હશે તો તે અવશ્ય બનશે અમીર
હસ્તરેખા શાસ્ત્રમાં એવી રેખાઓ અને સ્થિતિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે જણાવે છે કે જાતક અમીર બનશે કે નહીં. તેને કારકિર્દીમાં સફળતા મળશે કે નહીં. આજે અમે એવી રેખાઓ અને સ્થિતિઓ અંગે જણાવીશું. જે રૂપિયા-પૈસા અંગે જણાવે છે. જે જાતકને કરોડપતિ બનવાનો સંકેત આપે છે. આ રેખાઓ જે જાતકના હાથમાં હોય તેઓ વહેલા અથવા મોડા પરંતુ ધનવાન બને છે. જેમાં મુખ્ય છે મની લાઈન અથવા ધન રેખા.
કરોડપતિ બનાવતી હાથની રેખાઓ
હાથની સૌથી નાની આંગળીની નીચે એક ઉભી રેખા હોય છે, જેને મની લાઈન અથવા ધન રેખા કહે છે. જો આ સ્પષ્ટ અને ઊંડી હોય તો આવા જાતકોના કામ સરળતાથી બની જાય છે અને તેમની પાસે ખૂબ પૈસા રહે છે.
જો મની લાઈન આડી-અવળી હોય તો આવા જાતકો રૂપિયા કમાય છે, પરંતુ તેમની પાસે પૈસો ટકતો નથી અથવા આવા જાતકોને વારંવાર ધન હાનિ થાય છે અને બિમારી વગેરેમાં રૂપિયા ખર્ચ થાય છે.
જો એકથી વધુ ધન રેખાઓ હોય તો જાતકને ઘણા સ્ત્રોતમાંથી વધુ પૈસા મળે છે. આવા જાતક પૈસા કમાવવામાં અવ્વલ હોય છે.
જો હાથમાં સૂર્ય રેખાઓ હોય તો જાતક ધનવાન બને છે. આવા જાતકક પૈસા કમાાવવાની સાથે ખૂબ નામ પણ કમાય છે.
જો જીવન રેખા ગોળાકાર હોય અને માથાની રેખા 2 ભાગમાં વહેંચાયેલી હોય અને આ ત્રણેયને મળીને હથેળીમાં ત્રિકોણ બને તો આવા જાતકો મોટા વેપારી બને છે. તેઓને દરેક કામમાં નફો થાય છે.
જો ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઇને શનિ પર્વત સુધી જાય તો આવા જાતક પણ મોટા વેપારી બને છે અને વધુ રૂપિયા કમાય છે.